SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ તીર્થ કલ્ય: સચિત્રઃ (૧૫૫) તેટલામાં દેવીનું પ્રાચીન વૃત્તાંત (નદીમાં ડૂબી મરવાનું) સાંભળીને સંસારથી વિરક્ત થયેલો પારમેશ્વરી દીક્ષા ગ્રહણ કરી. ત્યાં એક બિંબ દેવ વડે બહાર લવાયું. અને પૂજાયું. બીજું પણ બહાર નીકળશે તેથી પ્રયત્ન કરો. તે સાંભળીને પરમાર્હત ચૂડામણ વંકચૂલે તે ભીલને તે બિંબોને લાવવા માટે નદીમાં પ્રવેશ કરાવ્યો. અને કેડ સુધી શરીર જેમનું પાણીમાં છે, બાકીના અંગો બહાર છે તેવાં બિમ્બને નીકાળવા માટે અનેક ઉપાયો કર્યા. તે નીકળતું નથી. દેવતાનાં પ્રભાવને જાણીને ત્યાં આવીને રાજાને સર્વ સ્વરૂપ નિવેદન કર્યું. આજે પણ તે બિંબ જળમાં તેજ પ્રમાણે રહેલું છે. આજે પણ સંભળાય છે કે કોઈક વૃદ્ધ ભીલ ની નાવડી અટકી ત્યારે તેનાં કારણને શોધતાં તે સુવર્ણમય ૨થની ખીલી પ્રાપ્ત થઈ. તે સુવર્ણમયી ખીલી દેખીને લોભીયા એવાં તે વૃદ્ધ વિચાર્યું. જો અનુક્રમે આ આખા ૨થને ગ્રહણ ક૨૬ તો વાળો થઈશ. તેથી શંત્રમાં નિદ્રા પણ મેળવી ર્નાહ. કોઈક અદશ્ય પુરૂષ વડે કહેવાયું. ‘આ ખીલી ત્યાં જ મૂકીને સુખેથી રહો. જે આ પ્રમાણે નહિ કરે તો તને જલ્દીથી મારી નાંખીશ.' તે ભયથી પીડાતો ધૂંસરીની ખીલી ત્યાં જ મુકી દીધી, દેવતાથી અધિષ્ઠત પદાર્થોમાં શું અસંભવ છે ? સાંભળ્યું છે કે અત્યારનાં કાળમાં પણ કોઈક પ્લેચ્છ હાથમાં પત્થર લઈ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને ભાંગવા માટે ઉપસ્થિત થયો, તેટલામાં તેનાં બે હાથ તંભત થઈ ગયા. મોટી પૂજા વિધિ કર્યો છતે તે સ્વસ્થ થયો. શ્રી વીર બિમ્બની અપેક્ષાએ શ્રી પાર્શ્વનાથનું બિમ્બ નાનું છે. એ પ્રમાણે આ મહાવી૨નાં પુત્ર ૨-સ્વરૂપ છે. એમ સમજી ભીલોએ ચેaણ એ પ્રમાણે નામ પ્રકાશિત કર્યું. ઘણાંજ પૂજાયેલાં અને માહામ્યનાં ભંડાર સ્વરૂપ શ્રી ચેલણ પાર્શ્વનાથની આગળ (ધર્મઋષિ-ધર્મદત્ત) મહર્ષિઓ વડે થી સુવર્ણ મુકુટ મંત્રના નામની આરાધના કરાયેલ અને ભવ્યો ને પ્રકાશિત કરેલ. તે સિંહ ગુફા પલ્લી કાળક્રમે ઢીંપુરી એ નામે પ્રસિદ્ધ નગરી થઈ. આજે પણ ભગવાન શ્રી મહાવીર અને ચેaણ પાર્શ્વનાથને સકલસંઘ તે જ ગરીમાં યાત્રાદે ઉત્સવ દ્વારા આરાધે છે. એક વખત વંકચૂલ ઉજજૈની નગરીમાં ખાતર પાડવા માટે ચૌર વૃત્તિથી કોઈક શેઠનાં ઘેર ગયો. અવાજ સાંભળીને પાછો વળ્યો. ત્યાર પછી ગણકાઓનાં સમૂહમાં માણક્ય સમાન દેવદત્તા ગણકાનાં ઘરમાં પ્રવેશ કર્યો. તે ગણકાને કોઢિઆની સાથે સૂતેલી જોઈ. ત્યા૨ પછી ત્યાંથી નીકળીને નગ૨ શેઠનાં ઘેર ગયો. ત્યાં એક આનો હિસાબમાં ખુટતો હોવાથી કઠોર વાણી વડે તિરસ્કાર કરી શેઠે પુત્રને કાઢી મુક્યો. આમ રાત્રિ પૂરી થવા આવી. જેટલામાં રાજકુલમાં જવાનો વિચા૨ કરે છે. તેટલામાં સૂર્ય ઉગી ગયો. વંકચૂલ નગરથી નીકળીને ચંદ્ધા ઘો સહarીર વાગશે દિવસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy