SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વારાણસી નગરી કલ્પ: તત્ત્વને કહેવાવાળાં શ્રી સુપાર્શ્વનાથને તથા વિદ્ગોનાં સમૂહને નાશ કરવા વાળાં પાર્શ્વનાથને નમસ્કાર કરીને સત્ય કલ્પનાથી યુક્ત વારાણસી તીર્થનનાં કલ્પને હું કહીશ. આ જ દક્ષિણ ભરતક્ષેત્રમાં મધ્યખંડમાં કાશી દેશના આભૂષણ સમાન ઉત્તર દિશા ત૨ફ વહેનારી ગંગા નદીથી અલંકૃત ધન-સુવર્ણ-૨નથી સમૃદ્ધ વાણા૨શી નામની નગરી અદ્ભુત ગૌ૨વનું નિધાન છે. ૧વરણા અને અસિ નામની બે નદીઓ જે ગામમાં મળે છે તેથી નિર્યુક્તિવાળું વારાણસી એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું. આ જ નગરીમાં સાતમા જિનેશ્વ૨ શ્રી સુપાર્શ્વ૨સ્વામી ઈક્વાકુવંશમાં પ્રતિષ્ઠાજાની પટરાણી પૃવીદેવીની કુક્ષીમાં અવતર્યા અને જમ્યા. ત્રણે ભુવનમાં માણસો વડે વગાડાયો છે યશ પડઠ જેનો એવા સુપાર્શ્વનાથ ૨સ્વસ્તક લાંછનવાળા, બસો ધનુષ, ઉચી અને સુવર્ણમય કાયાવાળા હતા. અનુક્રમે મોટી રાજ્યલક્ષ્મીને અનુભવીને પછી સાંવત્સરેક દાન આપીને સહસ્રામવનમાં દીક્ષાનો સ્વીકાર કર્યો નવ મહીના સુધી છદ્મસ્થ અવસ્થામાં વિચરીને નિર્મળ કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. સમેતશિખ૨ ગિરિ ઉપ૨ જઈને મોક્ષ પામ્યા. ત્રેવીશમાં જિનેશ્વ૨ શ્રી પાર્શ્વનાથ ઈસ્વાકુવંશના અશવસેન રાજાનો પુત્ર વામાદેવીની કુક્ષીમાંથી ઉત્પન્ન થયેલા હતા. સાપનાં લાંછનવાળા નવ હાથ ઉચી અને નીલવર્ણની કાયાવાળા ભગવાન અહીં જમ્યા અને આશ્રમપદ નામમાં ઉદ્યાનમાં કુમા૨૫ણામાં જ ચારેત્રભા૨ને વહન કર્યો. કેવલજ્ઞાન પામીને તે જ શમેશિખર પર્વત ઉપ૨ શૈલેષીકરણ કરીને મોક્ષે ગયાં. આ નગરીમાં જ આ ભગવાનકુમા૨કાળમાં હોતે છતે ર્માણકણકામાં પંચાગ્રતપને તપવાથી કમઠઋષિ ચ્યવેછતે પોતાની ભાવની વિપદાને જાણતા લાકડાની વચ્ચે અગ્નિની જવાલા વડે અર્ધ બળેલા સર્પને માતાને માણસોને દેખાડીને કુપથ મથન કર્યું. આ જ નગરીમાં કાશ્યપ ગૌત્રવાળા, ચતુર્વેદી છ કર્મને ક૨વામાં કર્મઠ જોડિયાભાઈ જયઘોષ અને વિજયઘોષ નામનાં બે શ્રેષ્ઠ બ્રાહ્મણ થયાં. એક વખત જયઘોષ ૨નાના કરવા માટે ગંગામાં ગયો ત્યાં આગળ સાપ વડે કોળીયો કરાતા એક દેડકાને જોયો. ૧. પુરાણો વ.માં નામકરણનું આ જ કારણ બતાવ્યું છે. પુરાણ વિષયાનુક્રમણિકા પૃ. ૮૫-૬, હિન્દુ ધર્મકોશ પૃ. ૫૮૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy