SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રતિષ્ઠાનપુરાધિપતિ સાતવાહન વ્રુપ ચેમ્િ હવે પ્રસંગથી પ૨સમય (જૈનેત્તર શાસ્ત્રમાં) અને લોકમાં પ્રસિદ્ધ એવું સાતવાહનનું ચરિત્ર બાકી ૨હેલું કાંઈક કહેવાય છે. શ્રી સાતવાહન પૃથ્વીનું ૨ક્ષણ કરતો હતો ત્યારે પચાસ વીરો પ્રતિષ્ઠાન નગરની અંદ૨ વસતા હતા. અને પચાસ વીરો નગરની બહાર રહેતા હતા. આ બાજુ તે જ નગ૨માં એક અંભમાનથી ઉદ્ધત થયેલો શૂદ્ધક નામનો બ્રાહ્મણનો પુત્ર હતો. તે બાળક અભિમાનથી યુદ્ધનો પ્રયત્ન કરતો હતો, ત્યારે પોતાના કુળને આ અનુચિત છે એ પ્રમાણે માનીને પિતાએ નિષેધ કર્યો છતાં તે અટક્યો નંહ. એક વખત સાતવાહન રાજા બાપલા, ખુંદલાદ નગ૨ની અંદર રહેલા પચાસ વીરોની સાથે પ૨ (બાવન) હાથ પ્રમાણવાળી શિલા ક૨ત માટે ઉપાડતો હતો. ત્યારે પિતાની સાથે જતાં એવાં બાર વર્ષના શઢકે રાજાને જોયો. કોઈ વીરે ચા૨ અંગુલ, કોઈક છ અંગુલ કે આઠ અંગુલ પ્રમાણ ભુમથી શિલા ઉપાડી શકતા. ૨ાજા ઢીંચણ જાનુ સુધી ઉચે શિલાને લઈ ગયો. એ પ્રમાણે દેખીને ૨કુરાયમાન બળવાળો શઢક બોલ્યો : 'અરે તમારી મધ્યે આ શિલાને મસ્તક સુધી ધા૨ણ ક૨વા માટે કોઈ સમર્થ નથી ?' તે વીશે પણ ઈર્ષ્યાપૂર્વક બોલ્યા : જો તુ પોતાને સમર્થ માનતો હોય તો તુંજ ઉપાડને !' તે સાંભળીને તે શઢકે તે શિલાને એવી રીતે આકાશમાં ઉછાળી કે તે દૂર ઊંચી જતી રહી, ફરી શુદ્રક વડે કહેવાયું : 'જે તમારામાં કોઈ શંકતશાળી હોય તો આ પડતી એવી શીલાને ગ્રહણ કશે.' ત્યારે ભયથી ઉભ્રાંત થયેલા લોચનવાળા સાતવાહનાદ વીરોએ વિનયપૂર્વક કહ્યું કે : “હે મહાશંક્તશાળી અમારા પ્રાણોનું રક્ષણ કરો.' તે શુદ્ધકે ફરીથી પડતી એવી શિલાને મુઠ્ઠી વડે એવી રીતે પ્રહાર કર્યો કે તેના ત્રણ ટુકડા થઈ ગયા. એક ટુકડો ત્રણ યોજન ઉપ૨ પડ્યો. બીજે ટુકડો નાગરોવરમાં પડ્યો અને ત્રીજો ચા૨ ૨સ્તાની મધ્યે પોળના દરવાજા પાસે પડ્યો. આજે પણ તે જ રીતે પડેલો માણસો વડે દેખાય છે. તે શુદ્રક ના બલના વિલાસથી ચમત્કૃત થયેલાં ચિત્તવાળા રાજા એ શુદ્રકનો ઘણો સત્કા૨ કરીને નગ૨નો ૨ક્ષક બનાવ્યો. - બીજા શત્રોનો નિષેધ કરીને રાજાએ તેને દંડજ શસ્ત્ર તરીકે રાખવા જણાવ્યું. તે શુદ્રક અનર્થનાં નિવારણ માટે બહાર ફરતાં વીરોને નગ૨ની મધ્યે પ્રવેશ પણ કરવા દેતો ન હતો. એક વખત પોતાનાં મહેલની ઉપ૨ સૂતેલો સાતવાહન રાજા અડધી રાત્રે શરીરની ચિંતા માટે ઉક્યો. નગ૨ની બહા૨ પાદરમાં કરૂણ રૂદન સાંભળીને તેની માહિતી મેળવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy