SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજીનાં પદે એવા વિચિત્ર રીતે વર્તે છે કે એમની સ્થિતિ શું થશે ? એઓ કયાં સુધી આવી રીતે સંસારમાં રઝળ્યા કરશે અને એમને અને મારો મેળાપ કયારે થશે? તે સમજાતું નથી. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. અત્ર ચેતનજીનું જે ચિત્ર ચેતનાએ દેયું છે તેમાં જરા પણ અતિશક્તિ નથી. જ્યાં સુધી ચેતનજીને યથાર્થ જ્ઞાન ન થાય અને ખાસ કરીને તેની ઉન્નતિનાં પગલાઓ અને માર્ગોને યથાર્થ બોધ અને દર્શન ન થાય ત્યાં સુધી તે પિતાની શુદ્ધ દશા સમજી-વિચારી-જાણી શકે નહિ અને ત્યાં સુધી તેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય નહિ. એ સ્થિતિ દૂર કરી શુદ્ધ સ્વરૂપી પતિ સાથે ચેતનાને મેળાપ થાય અથવા સ્પષ્ટ રીતે કહીએ તે ચેતનજી પિતે વિશુદ્ધતર બની સ્વસ્વરૂપમાં આવે તેવો પ્રયત્ન કરવાની જરૂર અત્ર બતાવી છે. પંચતંત્રમાં વાંદરા માટે એક કથા છે. તેમાં લખે છે કે-એક સુઘરી વરસાદના વખતમાં વાંદરાને ઝાડની નીચે ધ્રુજતે જોઈને પિતાના માળામાંથી કહેવા લાગી કે-“હે ભાઈ! તું આ ડાહ્યો અને મનુષ્યની આકૃતિવાળે હાથે પગ સહિત દેખાવા છતાં વરસાદ આવવા અગાઉ ઘર શા માટે બાંધી રાખતા નથી કે ચોમાસામાં આ પ્રમાણે થરથર ધ્રુજવું પડે નહિ.” વાંદરે જવાબ આપ્યો કે “ તારે અન્યની વાત કરી ઉપદેશક થવાની જરૂર નથી, ચૂપ બેસી રહે, નહિ તે તારે માળે જ વીંખી નાખીશ.” સુઘરી પિતાના સુંદર માળામાંથી બીજી વાર થોડા વખત પછી વળી વાંદરાને ધ્રુજતે જોઈ તે જ પ્રમાણે ઉપદેશ આપવા લાગી અને વાંદરે ફરી વાર તેને એક બે ગાળે પડાવી “ દુરાચરે, ૨૩, પંડિતમાનિનિ ! ચૂપ રહે, નહિ તે તને ઘરબાર વગરની કરી મૂકીશ.” ઈત્યાદિ કહ્યું. સુઘરીને વળી અનુકંપ આવતાં ત્રીજી વાર ઉપદેશ આપવા મંડી ગઈ એટલે વાનરે ઝડપ મારી તેને માળે. તેડી નાખ્યા અને બે કે-“હું ઘર બાંધવામાં તે અસમર્થ છું, પણ પારકાં ઘર ભાંગી નાખવામાં સમર્થ છું.' આમ બેલીને સુઘરીને ઘરબાર(માળા) વગરની કરી અને પોતે તે થરથર ધ્રુજતો રહ્યો. ચેતનજીના સંબંધમાં આવું ઘણીવાર બને છે. કોઈ વિશુદ્ધ ઉપદેશ આપવા આવે છે તે તેને ઉપદેશ ન માનતાં ઉલટું બને તેટલું તેને નુકશાન કરવા યત્ન કરે છે, અને પિતે તે જે થરથર ધ્રુજતી દશામાં હોય છે તેમાં જ રહે છે; પિતાને લાભ થતો નથી અને ઊલટું ઉપદેશ આપનારને નુકશાન કરે છે. ચેતના થરથર ધ્રુજે છે એ અત્ર ભાવ બતાવે છે તેને વારતવિક વિચાર તે ચેતન ઉપર જ સમજવાને છે, કારણ કે ચેતન અને ચેતનાનો અભેદ છે. ચેતનને સ્થળ ચેતનાદેહ વિરહથી ધજે છે એટલે ચેતનજીને ચેતનાને તેની શુદ્ધ દશામાં મેળાપ થતું નથી. સુઘરી જેવા સુવિહિત પુરુષે કદાચ ચેતનજીને ઉપદેશ આપવા આવે તે ચેતન તે માનતો નથી અને તે ઉપદેશની અસર જેમ બને તેમ પિતા ઉપર ઓછી થાય એવું વર્તન વિભાવના જેરને લીધે કરે છે અને પછી તેને લઈને તેની દશા જરા પણ સુધરતી નથી એટલું જ નહિ પણ તેને વિરહકાળ લંબાયા જ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy