SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૦ શ્રી આન મનજીનાં પ કરવાથી જ હું શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થઇ શકું છું તે વધવાનાં કારણેા તેથી મને છે. મારા નાથ માયા, મમતાને મરેિ આ મુડનાદિ કાર્ય કરાવ્યા પછી પણ રમ્યા જ કરે છે અને એ વાતથી મને વિરહવ્યથા વધારે લાગે છે. આથી લેાચ, મુંડન, જટા વિગેરેથી મારી વેદના કાઇએ મટાડી નથી. હજી પણ મારા કેવા હાલ કર્યાં તે માડી ! સાંભળેા. कोई * थापी कोई उथापी, + एक मनो में कोई न दीठो, कोई चलावी कोई राखी, कोईनो कोई नवि साखी मायडी० ५ “ કાઇએ . મને સ્થાપન કરી, કેાઇએ મને ઉપાડી મૂકી, કાઇએ મને ઉપજાવીને વિનાશી, કાઇએ રાખી મૂકી-મે કાઇને એક સરખા અભિપ્રાયવાળા જોયા નહિ અને કાઇ કાઈના સાક્ષી થાય—ટેકા આપે એવુ પણ મે' જોયું નહિ. "" ભાવ-મારા જૂદી જૂદી જગ્યાએ કેવા હાલ થયા તે માડી તમે જુઓ તે ખરાં ! કેઇએ મારી વિચિત્ર રીતે સ્થાપના કરી. વલ્રમ અને રામાનુજ સંપ્રદાયવાળા શુદ્ધ દ્વૈત મત સ્વીકારનારા છે, તે પુરુષ અને પ્રકૃતિના ભેદ પાડી બન્નેને અલગ રાખે છે અને પુરુષરિને ઇચ્છા થવાથી અણુમાં પ્રકૃતિòાસ થાય છે એમ કહી બન્નેના ભેદ સ્વીકારે છે. તે ચેતનમાં ઈશ્વરના અંશ છે એમ માની કેાઈ વખત ચેતનમાં અને કોઇ વખત પ્રકૃતિમાં અસ્તિત્વના સ્વીકાર કરે છે. એક સરખી રીતે તેા કાઇ એ મતવાળા મારા સ્વીકાર કરતા નથી, પરંતુ સામાન્ય રીતે ભેદમાગ સ્વીકારનારા મારી એક અંશે સ્થાપના કરે છે. અંશગ્રાહી સત્યને સથા સત્ય સમજી લેવાની તેની લાલચને લીધે તેએ મારું સત્ય સ્વરૂપ તે સમજી શકચા નહિ પણ તેઓએ મારી સ્થાપના કરી ખરી. ચેતના ઈશ્વરકૃત શા માટે હાય? તેને અને ઈશ્વરને શુ સંબંધ હાઈ શકે ? અને શા માટે હાઈ શકે ? એ વાત તા કોઇ સમજી શકયુ નહિ; પરંતુ ચેતના તદ્ન નથી એવા નકાર આ ભેદવાદીએ ભણ્યા નહિ તેથી તેઓએ મારું સ્થાપન કર્યું” એમ ગણી શકાય. વળી કેટલાક મતવાદીઓએ કહ્યું કે-પૃથ્વી, અપ્, તેજ, વાયુ અને આકાશ એ પંચ મહાભૂતના સચૈાગે ચેતના ઉત્પન્ન થઇ હાય એવા ભાસ થાય છે, વાસ્તવિક રીતે ચેતનની * કણે તે થાપી કણે ઉથાપી, કેણે ચલાવી કિણુ રાખી ' આ પ્રમાણે પાઠ એક જગ્યાએ છે. 6 + ત્રીજી પતિને સ્થાને ‘ કેણે જગાડી કેણે સુવાડી ' એ પૉંક્તિ છાપેલી બુકમાં છે જેનું વાસ્તવિક સ્થાન ચોથી ગાથામાં ત્રીજી પતિ પર છે તે ઉપર જુએ. ‘ એક પપ્પા ’ એવે પાઠાંતર એક જગ્યાએ છે. × ‘ કાઇનુ કાઇ નથી સાખી ' અથવા ‘ કાર્યનું કા નવ સાખી ' એવા પાઠાંતરેા છે. અથ તે સત્ર એકના એક જ છે, Jain Education International ૫ થાપી=સ્થાપન કરી. ઉથાપી=ઉત્થાપન કરી, ઉપાડી મૂકી. ચલાવી–ઉપજાવીને વિનાશી. રાખી= રાખી મૂકી, પડતી મૂકી. એકમનેએક અભિપ્રાયવાળા. સાખી=સાક્ષી, એક બીજાને બરાબર વાત કરી કરાવી આપે તેવા માણસ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy