________________
૫૧
અડતાલીસુ પ
મને કે કમને તેઓ ઉપાસના તે શ્રીઅરિહંત દેવની જ કરે છે તેથી તેવા યતિએ ચેતનાને જતણી બનાવી દે એ અર્થ 'ધબેસતા થતા નથી. જે રૂપ પુરુષ ધારણ કરે અને તનુસાર જેનું જે નામ પડે તદનુસાર તેવું રૂપ ધારણ કરનાર સ્ત્રીનું કહેવામાં આવે છે. તિનુ રૂપ ધારણુ કરનાર સ્ત્રીને યતણી કહેવામાં આવે છે અને અતીતનું રૂપ ધારણ કરનારને મહામાયા કહેવામાં આવે છે. કહેવાના ભાવ એ છે કે-અતીત તથા સંન્યાસીઓએ મારું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાને બદલે મને અશુદ્ધ ચેતનામય કરી દીધી. મારું ચૈતન્યરૂપ પ્રગટ કરવાનુ તા માજી ઉપર રહ્યું પણ તેને બદલે મને એક તદ્ન અશુદ્ધ અથવા વિપરીત રૂપ આપી એક પક્ષમાં બેસાડી દીધી. જોગી અને જતીમાં ફેર એટલેા હાય છે કે જોગી દેવીના ભક્ત હાય છે ત્યારે સંન્યાસીએ અભેદ માને અનુસરનાર હાઇ મહુધા શિવભક્ત અથવા કોઇ કોઇ પરબ્રહ્મને માનનાર અભેદવાદી હાય છે. શ્રી આન'ધનજીના હેતુ કોઇ ધર્મ ઉપર આક્ષેપ ક્રરવાના નથી, કોઈ મતને નરમ પાડવાના નથી. તેના આશય એ છે કે-જેણે જે મત સ્વીકાર્યાં તેણે આંખેા ઊઘાડીને મને જોઇ જ નથી, સ્વમતમાં અંધ આસક્તિ અને પરમતની વિચાર વગરની નિંદા એ તદ્ન અગ્રાહ્ય મતના સ્વીકાર ઘણાખરા આગ્રહી પ્રાણીઆએ અત્યાર સુધી કરી, એક પક્ષમાં ઢળી જવાની સ્થિતિ વિના કારણે અને વિના લાભે પ્રાપ્ત કરેલી છે.
કેટલાક પ્રાણીઓ ભક્તિમાર્ગને અનુસરનારા હાય છે. ગાવું, મજાવવું અને પ્રભુના ચરણામાં સર્વ સમર્પણ કરી દેવું, જ્ઞાન અને કર્મયોગને ગૌણુ કરી નાખવા એ ભક્તિમાર્ગના મત છે. તેઓ એમ માને છે કે મુક્તિ તે ભક્તિમાર્ગથી જ પ્રાપ્ત થઈ શકે છે. અન્ય સાઁ માર્ગના નિષેધપૂર્વક પ્રભુને સ્થૂળ રૂપ આપીને તેના ચરણામાં આસક્ત રહેવું, તેના ગુણગ્રામ કરવા અને પેાતાનું સર્વસ્વ તેમને અણુ કરવું એ ભક્તિમાર્ગના સિદ્ધાન્ત છે. વલ્લભાચાર્ય, રામાનુજ, વામીનારાયણ વગેરે અન્ય સ` માર્ગના નિષેધપૂર્વક ભક્તિમાર્ગોને માનનારા હાય છે અને તે ભક્તિમાર્ગને એટલું બધુ' પ્રાધાન્ય આપે છે કે અન્ય કોઇ ચેાગદ્વારા મુક્તિ પ્રાપ્ત થઇ શકે એમ તેએ સ્વીકારી પણ શકતા નથી. ભક્તિ અનેક પ્રકારની છે અને તેથી એકાગ્રતા કેટલીક વખત બહુ સારી થાય છે, પણ જો સાધનને સાધ્ય માની તેમાં જ એકાંત હિત માનવામાં આવે તે કાર્ય કારણુભાવના વિનાશ થાય છે અને શુદ્ધ વસ્તુસ્થિતિ કદ્ધિ પ્રાપ્ત થતી નથી. ભક્તિયાગનું એક યોગ તરીકે સ્વરૂપ બહુ વિસ્તારથી શ્રીમદ્ભગવદ્ગીતામાં આપવામાં આવ્યું છે. રાવણ વિગેરે જિનેશ્વરની પરાકિત કરી મહાલાભ પ્રાપ્ત કરી ગયા છે તે વાતના અહીં નિષેધ નથી, પરંતુ એકલી ભક્તિમાં અન્યના નિષેધપૂર્વક સાઁસ્વ માનવું એ પક્ષગ્રાહીપણું બતાવે છે અને તે ચેતનાને શુદ્ધ બનાવવામાં આડુ આવે છે.
*
વૈષ્ણવ મતના સંપ્રદાયનું વિવેચન ચાળીશમા પદની પ્રથમ ગાથાના વિવેચનમાં થઈ ગયું છે. જુએ પૃષ્ઠ ૪૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org