________________
સેંતાલીસમું પદ્ધ
આગળ વધતો જાય છે, મેહરાયના કેટલાક સુભટને હઠાવી નવાં નવાં સ્થાને પ્રાપ્ત કરે છે, તેમ તેમ તેની શ્યામતા દૂર થતી જાય છે અને અજ્ઞાન ઘટતું જાય છે. આવી રીતે છેવટે તે મહરાયને હઠાવી, શ્યામતા તદ્દન અલ્પ કરી, અજ્ઞાન દૂર કરી, સર્વજ્ઞ સર્વદશ થઈ રાજધાનીમાં પ્રવેશ કરે છે. તેની પ્રગતિ કેવી રીતે થાય છે તે બહુ સંક્ષેપથી પણ મુદ્દાસર રીતે નીચેની ગાથામાં બતાવે છે.
મિસકરના ઉપરોક્ત બને અર્થ એગ્ય છે. એ સિવાય એને માટે મશકરી.” એ પાઠ એક પ્રતમાં છે. એટલે અનાદિકાળથી તારે ગંભીરતા છેડી દઈને બેટી લડાઈ કરવાની–ગ કરવાની ટેવ પડી છે તે છોડી દે, તારા રૂપને યેગ્યે ગંભીરતા તું ધારણ કર અને બાળચાલ-છોકરવાદીપણું છોડી દે. તારે જે દુશ્મન સાથે લડવાનું છે તે અનેક સાધનસંપન્ન છે. તેની સાથે લડવામાં મશ્કરી ચાલે નહિ. તારે તારા નામને યોગ્ય મેટાઈ– ગંભીરતા રાખવી જોઈએ. તું એ લડાઈને છોકરાને ખેલ સમજીને અનાદિકાળથી ચાલે છે તેમાં તારી ભૂલ છે. હવે જરા તારા નામને યોગ્ય મેટાઈ તું ધારણ કર. આ અર્થ પણ સારો ભાવ બતાવે છે.
લરીરી” એ શબ્દના લડે છે અથવા લડીને એ બને અર્થ થાય છે અને તે બનેથી એક સરખો ભાવ આવે છે. આ પ્રમાણે લડાઈ કરવાની ભલામણ કરીને હવે તે કેવી રીતે કરવી અને તેનું પરિણામ શું આવશે તે બતાવે છે.
नांगी *काढल ताड ले दुशमन, लागे +काची दोइ घरीरी; अचल अबाधित केवल मनसुफ, पावे शिव दरगाह भरीरी. चेतन० २
તરવાર અને તીક્ષણ કાઢલવડે દુશ્મનને મારી નાખ, તેમાં કાચી બે ઘડી લાગશે, (એમ કરવાથી) તું અચળ અબાધિત કૈવલ્ય મંત્રી અથવા કર્તા થઈને સર્વ સુખથી ભરેલી શિવરૂપ દરઘા-કચેરી પ્રાપ્ત કરશે.”
* “ કાલ’ને બદલે એક પ્રતમાં “ કાઢીલ” અને એકમાં “ કાટિલ' પાઠ છે. ' કાઢલે ” એ પાઠ છાપેલ બુકમાં છે તે કોઈ પ્રતમાં નથી. અર્થ નહિ બેસવાથી એવો પાઠ મનથી સુધારી નાખ્યો હશે એમ અનુમાન થાય છે. કાઇલ એ એક જાતનું હથિયાર છે જે તે ભાષા ન જાણનારને સમજાય તેમ નથી
+ કાચીને બદલે “કાચ” પાઠ ભી. મા. લખે છે તે કોઈ પ્રતમાં નથી અને ઘરી સાથે લિંગવ્યત્યય કરનારો હોવાથી તે પાઠ અયુકત જણાય છે.
: મનસકને બદલે એક પ્રતમાં “ ગુન સબ” એમ પાઠ છે તે અશુદ્ધ છે. બાકીની સર્વ પ્રતમાં ઉપર લખ્યો છે તે જ પાઠ છે.
૨ નાંગીતરવાર, ખડગ. કાઢલ=શસ્ત્રવિશેષ (ખંજર જેવું ). તાડ લે=મારી લેફટકે લગાવ. કાચીકાંઈક ઓછી, પૂરી નહિ. દઈ ઘરી=અડતાળીસ મિનિટ. અચલ =હલચલ વગરને. અબાધિત બધા પીડા રહિત. કેવલ–કૈવલ્યજ્ઞાનરૂપ. મનસુફ મંત્રી અથવા બીજો અર્થ સર્વ કાર્યને કર્તા એમ થાય છે ( ટબાકાર). શિવ=મેક્ષરૂપ, દરગાહ=દરધા અથવા કચેરી. ભરી પરિપૂર્ણ સુખથી ભરેલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org