SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મશાનમાં મૂકીને આવીએ, મરતાં જોઈએ તેમ છતાં ગભરાઈને જીવવાનો વિચાર માંડી નથી વાળતા. હસીને જીવીએ છીએ, કારણ કે અંદર બેઠેલું તત્ત્વ કહે છે ભલે કોઈને બાળી આવ્યો, કબરમાં ઘટી આવ્યો, Tower of Silenceમાં મૂકી આવ્યો પણ હું મરતો નથી. મનુષ્યના જીવનમાં બે જાતની વિચારધારાઓ વહી રહી છે : આંખથી દેખી શકાય છે કે લોકો મરી રહ્યા છે, પણ વ્યક્તિમાં રહેલ આત્માને લાગતું નથી કે હું મરી જવાનો છું. જો એમ લાગે હું મરી જવાનો તો રાતના ઊંઘ જ નહિ આવે. કોઈને પૈસા ચૂકવવાના હોય, ચેક લખી આપો અને આગલે દિવસે ખબર પડે કે બેંકમાં balance નથી તો આખી રાત ઊંઘ આવે છે ? કોઈ કહે કે તમને ટી.બી. થયો છે તો કેટલો ગભરાટ છૂટે છે ? ઊંઘ ઊડી જાય છે કે નહિ ? તો, બધાને વિદાય આપીને આવનારો જીવે છે, હસે છે, ખુશીથી જીવે છે, એનું કારણ એ કે શરીરમાં બેઠલો જાણે છે કે જગતમાં મૃત્યુ દેખાય છે પણ આત્મામાં અમૃતત્વ પડેલું છે. આ અમૃતત્વની સુષુપ્ત મન (subconscious mind)માં રહેલી શ્રદ્ધાને કારણે, આત્માને થઈ ગયેલી પ્રતીતિને કારણે જ બીજા મરતા હોવા છતાં પોતે મરી જવાનો છે એમ નથી માનતો. ઇલેક્ટ્રિક થાંભલા ઊભા કરતા પહેલાં ખાડા કરે, પછી થાંભલો મૂકી આસપાસ માટી, કાંકરા, પથરા મૂકી ચાર જણા ભેગા થઈ થાંભલાને ખૂબ જોરથી હલાવે. શા માટે હલાવે ? ક્યાંક જરા પણ કાચું, ઢીલું રહી ન જાય, નહિતર રાહદારીના જીવનું જોખમ, હલાવી હલાવીને ખાડો જરાક ઢીલો થાય એટલે વળી પથરા નાખે કાંકરા ભરે અને ફરી હલાવે. એમ કરતાં કરતાં એવો મજબૂત કરી નાખે કે ચોવીસ જણા હલાવે તોય મચક ન આપે. એવી જ રીતે ધર્મના થાંભલાને પણ હૈયામાં રોપો. વિચારણા કરીને, પ્રશ્નો પૂછીને એને હલાવતા જાઓ, તમને પૂર્ણ ખાતરી થવી જોઈએ કે હું જે માર્ગે જઈ રહ્યો છું એ માર્ગ સાચો એ જ માર્ગ સાચો છે. તર્ક અને ચિન્તનભર્યા પ્રશ્નો પૂછવાથી માણસ સાચો ધર્મી બને છે. જે ધર્મ તર્ક કરવાની ના પાડે છે, પ્રશ્નો પૂછવાની મના કરે છે એ તમને અજાણ્યા કૂવામાં ઉતારવાની વાત કરે છે. શંકા ન કરો અને એમ ને એમ સ્વીકારી (accept) લો તો જીવનમાં કો'ક એવી પળ આવતાં આંચકો લાગશે, અને શ્રદ્ધાનું તત્ત્વ બહાર નીકળી જશે. તમે ખાલી બની જશો. Jain Education International માનવતાનાં મૂલ્ય * ૬૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy