SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ઊભો થા; અને માનવતાની વ્યાસપીઠ પર આવ. કારણ, માનવ તો દેવોથી અધિક અને પશુઓથી શ્રેષ્ઠ છે. સમસ્ત વિશ્વમાં માનવ જ ઇન્દ્રિયો પર સામ્રાજ્ય ફેલાવી શકે છે. આ માનવ બનવા માટે જ અભય, પુરુષાર્થ અને સંયમની જરૂર છે. પહેલી વાત આપણે અભયની કરીએ. સાચો માણસ પાપ સિવાય કોઈ પણ વાતથી કોઈ પણ ઠેકાણે ભય પામતો નથી. એ સર્વદા અભય હોય છે, કારણ કે ભય ત્યાં જ આવે છે, જ્યાં પાપ હોય છે. હરિપુરા કોંગ્રેસ પછી ગાંધીજીને છેલ્લી વાર મળીને બારડોલીમાં છૂટા પડવાનો પ્રસંગ આવ્યો ત્યારે મેં પૂછ્યું : “બાપુજી, મારે માટે કંઈ આદેશ ? મારે જીવનમાં શું કરવું ? એમણે માત્ર આટલું જ કહ્યું : “Live in light – પ્રકાશમાં જીવો.” બસ આ એક જ આદેશને નજર સામે રાખીને હું નીકળી પડ્યો. એમના આ આદેશ પાછળનો ધ્વનિ એ હતો કે સર્વદા પ્રકાશમાં જીવો. પ્રકાશમાં જીવનારને દુનિયામાં કોઈ જાતનો ભય નડવાનો નથી. ભય તેને છે, જે અંધારામાં વસે છે. તમારી પાસે જો પાપ નથી, જો કંઈ ખોટું આચરણ નથી, તો તમારે દુનિયામાં કોઈથી ડરવાની જરૂર નથી. આજે માનવી ડરતો રહે છે, છૂપો ફરે છે, વાત સંતાડવા માગતો હોય છે; કારણ કે એના મનમાં પાપ છે. જ્યાં સુધી નિષ્પાપ નહિ થવાય ત્યાં સુધી અભય નહિ બનાય; અને અભય નહિ થવાય ત્યાં સુધી આપણી આંખમાં તેજ નહિ આવે, આપણી વાણીમાં પ્રકાશ નહિ આવે. એટલે, આજે સૌથી પહેલી વાત તો એ છે કે, આપણા દેશને, સમાજને અને ધર્મને ઊંચો લાવવો હોય તો સૌએ અભય બનવું પડશે. આજે સૌથી પહેલી અને અનિવાર્ય આવશ્યકતા અભયની છે. પણ એ અભય આજે ક્યાં છે ? અભયના અભાવની એક નમૂનેદાર રમૂજી વાત તમને કહું. મુંબઈથી અમદાવાદ આવતી એક ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં એક યુરોપિયન બેઠો હતો. એ ડબામાં કોઈ ફર્સ્ટ ક્લાસનો પેસેન્જર બેસવા આવે તો એ ઘૂરકીને પૂછે : “Who are you ?' – કોણ છે તું ? આવતી કાલના નાગરિકોને * ૪૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy