SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ વિચારમાં પડ્યા કે આ પોપટને શું થઈ ગયું છે ? પાંજરામાં જોયું તો ખાવાનું એમ ને એમ હતું; પીવાનું પાણી પણ એમ ને એમ હતું. શેઠને લાગ્યું કે પોપટે ખાધું નથી, પીધું નથી, એટલે નક્કી પોપટ મરી જ ગયો લાગે છે. એટલે શેઠે પાંજરાનું બારણું ખોલ્યું અને મરેલો માનીને પોપટને ફેંકી દીધો. મરેલો પોપટ મારે શું કામનો ?” પોપટ જેવો બહાર ફેંકાયો કે એણે સ્વતંત્રતાનો શ્વાસ લીધો અને તરત જ એ પાંખો ફફડાવવા માંડ્યો. શેઠ અચરજ પામ્યા : “અલ્યા, શું થયું તને ? પાછો જીવતો ક્યાંથી થયો ?” પોપટે કહ્યું : “સાહેબ, તમે પેલા ગુરુનાં વાક્યોનો અર્થ નથી સમજ્યા ! હું તમને એ જ બતાવવા માંગું છું કે મારા ગુરુએ તો મને એમ કહ્યું કે દુનિયામાંથી છૂટવાનો માર્ગ એ છે કે તમારી જે છૂટી ઇન્દ્રિયો છે, જે બળવાન ઇન્દ્રિયો છે, જે મુક્ત ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોને ઊંઘાડી દો, એ ઇન્દ્રિયોને કાબૂમાં લો.” અને એમ કહી મુક્ત પંખી ઊડી ગયું. આપણો આત્મા પણ આજે આમ દેહમાં પુરાયેલો છે; કારણ કે એ ઇન્દ્રિયોના કહેવા પ્રમાણે નાચે છે, કૂદે છે અને તોફાને ચઢેલો રહે છે. એટલે આપણે જો આપણી ઇન્દ્રિયોને ગોપવીએ, ઉઘાડી દઈએ તો જ એ આપણા કલ્યાણનો માર્ગ બને. આપણી આંખ જો કહે કે મારે ખરાબમાં ખરાબ જોવું છે, તો આપણે એ કહી દેવું જોઈએ કે હું તને એ નથી જોવા દેવાનો. આમ કરશો તો પછી ઇન્દ્રિયો તમને કોઈ બંધનમાં બાંધી શકશે નહિ. આપણું મોટું જો કહે કે, મારે આ ખાવું છે ને તે ખાવું છે; તો આપણે કહી દેવું જોઈએ કે હું તને એવું ગમે તેવું ખાવા દેવાનો નથી. જે ખાવાનું યોગ્ય હશે તે જ ખવાશે. શરીર જો કહે કે મારે અમુક જાતના ભોગ જોઈએ છે. તો આપણે એને કહી દેવું કે તેની પ્રાપ્તિ માટે મારે નીચે ઊતરવું પડશે એટલે તને એ નહિ મળે; કારણ કે દેહની વધુ સગવડો, આત્માના હિતમાં નથી હોતી. જ્યારે જ્યારે ઇન્દ્રિયો તમારી પાસે કોઈ માગણી મૂકે, ત્યારે તમે જો મનનથી ઇન્દ્રિયોને કેળવતા જશો તો તમે જોશો કે ઇન્દ્રિયો જેમ જેમ સંયમિત થશે તેમ તેમ આત્મા મુક્તિ અનુભવવા માંડશે, પ્રફુલ્લતા અનુભવશે. ૪૦૨ * માનવતાનાં મૂલ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy