SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ વિચાર કરતો થઈ ગયો : “લિકન, તમારા જેવો વકીલ તો કો'ક જ મળે. આવા માણસો આવશે તો જ આ ધંધાની અને સમાજની પ્રતિષ્ઠા વધશે.” જૂઠા માણસોનો પક્ષ લેવો, એમને બચાવવા, એમની વકીલાત કરવી એમાં તો પોતાની બુદ્ધિનો વ્યભિચાર કરી માણસ ધીમે ધીમે નીચે અને નીચે ચાલ્યો જાય છે. પાંચ-પચીસ વર્ષે એવા માણસો પાસે પૈસા ઘણા થઈ જાય છે પણ એ | વિચારોના તળિયે બેઠેલા હોય છે. એવા ઘણાય છે જે પૈસાથી ઊંચા, વિચારોથી નીચા હોય છે. એમના જીવનમાં સમતોલપણું જ નહિ. સંવાદ વિના તે કાંઈ જીવન છે ? માણસ નીચા વિચારો કર્યા કરે, હલકા વિચારોમાં જીવ્યા કરે તો ધીમે ધીમે એ વામણો જ થાય ને ! બહારથી મોટો લાગે પણ અંદરથી વામણો જ હોય. દુનિયા મોટો જાણે પણ અંદરની દુનિયા દુ:ખી હોય. શાંતિ મળતી ન હોય. મનમાં પરેશાની હોય. વિચારોમાં સત્ય તત્ત્વ આવવું જોઈએ. તમે સત્યની પડખે ઊભા રહો. દસ ડૉલર મળતા હોય કે લાખ મળતા હોય પણ પક્ષ સત્યનો હોવો જોઈએ. અસત્યની દલાલી કરતાં કરતાં માણસ ખુદ અસત્યમય બની જાય છે. બીજું શુભ તત્ત્વ વિશ્વનું ભલું થાઓ એ વિચારે મનોભૂમિ કરુણાભીની થવી જોઈએ. આ સૌન્દર્ય મૈત્રીનું છે. જીવમાત્રમાં રહેલ પોતાના જેવા આત્માનાં દર્શનનું છે. વિશ્વવાત્સલ્યનું છે. એથી જ સત્ય અને શુભના સંસ્કારો તીવ્ર બને છે ત્યારે માણસના વિચારો ઊર્ધ્વગામી બને છે અને આ ઊંચાઈએ એને સુંદર તત્ત્વનું પવિત્ર દર્શન થાય છે. માણસના વ્યક્તિત્વમાં, ભાષામાં, વિચારોમાં, કર્તવ્યમાં, જીવનચર્યાના એકેએક મરોડમાં સુંદરતા દેખાય છે. પ્રકૃતિના પાસામાં સૌન્દર્યદર્શન થાય અને એ સુંદરતાને જોઈને જોનારની આંખો ભીની થાય. કવિવર ટાગોરે બગીચામાં ફરતાં ફરતાં ખીલેલું ફૂલ જોયું. ફૂલ જોતાં જોતાં એમની આંખ ભીની થઈ ગઈ. “હે પ્રકૃતિ ! તેં આ દુનિયાને કેવી સુંદર ભેટ આપી છે. માટીમાંથી ઉત્પન્ન થનારા તત્ત્વમાં સુવાસ, સુકુમારતા અને સૌન્દર્ય છે. એ જ પ્રકૃતિનો બાળક હું, મારામાં અશુભ અને બીજા વિચારો કેમ આવી શકે ?” અશ્રુ ધસી આવ્યાં. મૈત્રીપૂર્ણ અને સૌન્દર્યસભર ગીતાંજલિ પ્રગટી. ભગવાન મહાવીર અને બુદ્ધના સમયનો પ્રસંગ છે. પ્રસેનજિત રાજાએ સંયમ લેવાનો વિચાર કર્યો. બધે ઠેકાણે ફરીફરીને આવ્યા. સાધુઓને, યોગીઓને માનવતાનાં મૂલ્ય : ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy