________________
૩૭. જાગ, ઓ મહાવીરના સપૂત
મહાવીરના સંતાન ! જાગ !
ઊભો થઈ જા ! જરા આંખ ખોલીને જો ! તારી જ નજર સામે દીન, હીન, અનાથ ને ગરીબ માનવો અન્ન . વિના ટળવળતા હોય, ત્યારે તે ત્રણ ટંક
સુંદર ને સ્વાદિષ્ટ ભોજન, ઠંડે કલેજે કેમ “ આરોગી શકે ? તારી બાજુમાં જ વસતાં
તારાં ભાંડુઓને લાજ ઢાંકવા પૂરતું પણ વસ્ત્ર ન મળતું હોય, ત્યારે તું દયાવાન
કહેવાતો, સુંદર વસ્ત્રોમાં સજ્જ બની કે મહાલી કેમ શકે ? તારા જ ભાઈઓ વેર
ઝેર ને દ્વેષની મહાજ્વાળામાં સળગતા હોય, ત્યારે તે વિલાસ ને વિનોદની માદક શયામાં કેમ પોઢી શકે ? આ જોતાં તારું ખૂન આજે વિલાસની જડતાથી ઠંડું પડી ગયું છે, એમ તને નથી લાગતું ? તું તારા પુનિત પિતા શ્રી મહાવીરના સિદ્ધાન્તોનો દ્રોહ તો નથી કરતો ને ? તારા હાથે આવું
કૂર પાપ થાય, એ હું ઇચ્છતો નથી. હું જે ઇચ્છું છું તારા અમર વિજયને !
કારણ કે તે જૈન છે ! તારી પાસે બે પાંખો છે: અહિંસા અને સત્યની ! આ
૩૬૬ * માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org