SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ આ પર વર્ષવા લાગ્યો, અને અવિરત નરકની યાતના ભોગવતાં પીડિત હૈયાં, શાન્તિ અને સુખના મુક્ત વાતાવરણમાં વિહરવા લાગ્યાં, વાતાવરણ કાંઈક અલૌકિક હતું ! આ વિરલ વિભૂતિનો અવતાર થતાં, સ્વયં દેવેન્દ્રો એમનાં દર્શનાર્થે આવ્યા, મહાન ભૂપાલો અંજલિપૂર્વક એમની સામે શિર ઝુકાવીને, નમન કરવા લાગ્યા; અનેક માનવો એમની સેવામાં હાજર થયા અને વિશ્વનો વૈભવ એમના ચરણોમાં ખડકાવા લાગ્યો. એ દિવસોમાં એમના યૌવનનો રંગ જામ્યો. સંસારનો રંગ પણ ખીલ્યો અને પ્રિયદર્શના જેવું સંસ્કારી સંતાન પણ જન્મ્યું, પણ આ બધું એ વિરલ વિભૂતિને મન પુણ્યરૂપી રોગને નાશ કરવા માટે ઔષધરૂપ જ હતું. આમ કરતાં ત્રીશ વર્ષનાં વા'ણાં તો વીજળીના ચમકારાની પેઠે વહી ગયાં. માનવીને સુખના દિવસો કેટલા સોહામણા લાગે છે ! દુનિયાના સદ્ભાગ્યના એક મનોહર પ્રભાતે, આ વિરલ વિભૂતિએ વૈભવથી ઊભરાતાં રાજમંદિરોનો અને વહાલસોયાં સ્નેહીઓનો ત્યાગ કરીને, મહાભિનિષ્ક્રમણ કર્યું; કારણ કે દુનિયા એમને દુ:ખથી છલકાતી દેખાણી. દુનિયા જ્યારે દુઃખથી રિબાતી હોય ત્યારે આ કોમળ હૈયું સુખમાં કેમ વિલસી શકે ? આ વિરલ વિભૂતિના વસમા વિયોગની વેધક વાંસળી વાગી અને ક્ષત્રિયકુંડ ગામના ઉપવનમાં એક અજોડ કરુણ દૃશ્ય જામ્યું. આ દૃશ્ય આ જીવનસમર્પક વિરલ વિભૂતિની વસમી વિદાયનું હતું. આ દૃશ્ય અનાથ હૈયાંઓની કોમળ લાગણીઓથી છલકાતું હતું. આ દૃશ્ય વચ્ચે હૃદયવિદા૨ક ઘેરાં ડૂસકાં અને સાચાં આંસુ પણ હતાં, હા ! આકરી વિદાય કોમળતાપૂર્વક ભજવાતી હતી. આ વિદાયના દૃશ્યમાંથી વાત્સલ્ય અને કરુણાની ધારા ટપકતી હતી. આ વસમી વિદાયની વાંસળીમાંથી હૈયાને હચમચાવી મૂકે એવા કરુણ અને વેધક સૂરો વારંવાર આવી નાજુક હૈયાંઓને વ્યથિત કરતા હતા. પોતાના લઘુ બાંધવનું આ મહાભિનિષ્ક્રમણ નવિર્ધનના વાત્સલ્યપૂર્ણ હૈયાને વલોવી નાંખતું હતું. જીવનમાં ક્ષણ માત્ર પણ છૂટો નહિ પડનાર પોતાનો લઘુબાંધવ આજે સદાને માટે ગૃહત્યાગ કરે છે. ખરેખર, માનવીની પ્રિય વસ્તુ જાય છે ત્યારે એના જીવનનું સર્વસ્વ લેતી જ જાય છે ! ત્રીસ વર્ષ સુધી સૌરભવાળાં તરુવરોની શીતળ છાયામાં વિહરનાર માનવી, અખંડ-અગ્નિ ઝરતા તડકામાં તપે, પુષ્પોની નાજુક શય્યામાં પોઢનાર Jain Education International ૩૬૦ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy