SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંતનું શરણું લીધું. જે થવાનું હોય તે થાય. હે પ્રભુ ! આ શરીર તારે ચરણે સોંપી દઉં છું. તારા સિવાય મારું બીજું કોઈ નથી, શરણાગતિ સ્વીકારી જીવનને સમર્પિત કરી નાખ્યું. પ્રભુના સ્મરણમાં ને સ્મરણમાં જાણે ઊંડી ગુફામાં ઊતરતા હોય તેમ એ ઊંડે ને ઊંડે ઊતરવા લાગ્યા. શાંતિમાં અંદર ઊતરી ગયા. અંદર અનુભૂતિ થઈ, જાણે મૃત્યુને અડી આવ્યા. સાડા પાંચ-છ ફીટના માણસમાં અંદર અબજો ફીટનું ઊંડાણ પડ્યું છે. fathomless છે, એનું માપ કાઢવું જ અશક્ય છે. એ શરણાગતિમાં દેહ સાથેનો સંબંધ તૂટી ગયો અને પરમતત્ત્વ સાથે સંબંધ જોડાઈ ગયો. આ માનસિક અનુભૂતિ અદ્ભુત હતી. થોડીક ક્ષણોમાં હવામાન સુધરી ગયું. પ્લેન બરાબર ઊઠવા લાગ્યું. આંખ ખોલી તો ચેતવણી (warning)ની લાલ નિશાની (light) બંધ થઈ ગઈ હતી. બધું જ બરાબર ચાલતું હતું. પ્લેન નીચે ઊતર્યું અને એ ભાઈ બધાં કામને પડતાં મૂકી સીધા મારી પાસે આવ્યા. એમના મુખ પર અનુભવની સુરખી કોઈ જુદી જ હતી. “મહારાજશ્રી ! જીવનનો એક નવો અનુભવ થયો. તમે વ્યાખ્યાનમાં ઘણી વાર અંદર ઊતરવાની વાત કરી હતી, ૫૨માત્માની સાથે જોડાણ ક૨વાની વાત કરી હતી, પણ મારા મનમાં બેસતું નહોતું, ‘કેવી રીતે એ અનુભવ થાય ?' આજે એનો જ અનુભવ થયો. અનુભવ ઝાંખો ન પડે, સ્મૃતિમાંથી સરકી ન જાય એટલે બધાં કામ બાજુમાં મૂકીને હું આપની પાસે દોડી આવ્યો. “આજે મને સમજાયું કે જીવનમાં કોઈ કામ મહત્ત્વનું (important) નથી, ગમે તેટલા મહત્ત્વનાં કામ હોય પણ જો વિમાન તૂટી ગયું તો એ અધૂરાં કામનું શું થાત ? આજથી મેં નક્કી કર્યું છે કે દુનિયામાં કોઈ કામ આત્માનાં કામ કરતાં મહત્ત્વનું નથી. મારે જે કરવાનું છે એ મારી શાંતિ માટે કરવાનું છે. કોઈ કહે કે આ કામ મહત્ત્વનું છે, એના વગર રહી શકાય એમ નથી તો કહીશ, ‘ના, એવું નથી. સુલેહનું મહત્ત્વભર્યું કામ ક૨ના૨ા, શાંતિ સ્થાપવા માટે જનારા સંયુક્ત રાષ્ટ્રના મંત્રી Dag Hammarskjoldનું પ્લેન તૂટતાં મૃત્યુ થયું. તો એની જગ્યાએ બીજા આવીને ઊભા રહ્યા. એમનું કામ બીજાએ હાથમાં લીધું. માટે આ જગતમાં કોઈ કામ એવું અનિવાર્ય તો નથી જ એ મને સમજાયું. આજ સુધી હું માનતો હતો કે મારા વિના મારી ઑફિસમાં શું થશે ? Jain Education International ૩૫૦ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy