SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ઝઘડા થયા હતા ને ? ભૂલી ગયા ?” શું એવું વિષપાન કરાવનારા નથી ? પણ જે ડાહ્યા છે એ તો કહે : “ભૂલી જાઓ.' જેટલા હેરાન કરનારા છે એ બધાય લેણિયાતો છે. જો લેણિયાત ન હોય તો તમારો અને એનો ભેટો થાય જ કેમ ? તમારે અને એને સંયોગ થાય જ કેમ ? લેણિયાત છે તો સંયોગ છે. લેણિયાતોને જે લેવું હોય તે ભલે લઈ જાય; પણ તમે તમારા મનની સ્થિરતા રાખો. એ વખતે વધારે દ્વેષ, વધારે તિરસ્કાર, વધારે ક્લેશની પસ્તી આત્મામાં ન ભરો તો જ સારી વસ્તુ માટે ત્યાં અવકાશ રહેશે. જે ખાલી છે, જેનો કર્મનો કચરો નીકળી ગયો છે એ આનંદથી પૂર્ણ છે. દ્વેષથી અપૂર્ણ એટલે પ્રેમાનન્દી પૂર્ણ ! એક કૂવામાંથી ગામના માણસો પાણી અને કચરો કાઢતા હતા, કૂવાને ખાલી કરતા હતા. પૂછ્યું : “શું કરો છો ?” ‘કૂવાને સુંદર પાણીથી ભરવો છે.” પૂછ્યું : “કેવી રીતે ?” કહે : “આ કચરો, ગંદું પાણી અમે ઉલેચીને કાઢી નાખીશું તો પાતાળકૂવામાંથી નવો પ્રવાહ (flow) ફૂટશે. જ્યાં સુધી આ કચરો છે અને ગંદું પાણી છે ત્યાં સુધી પાતાળનું નવું પાણી અંદર નહિ આવે.’ નિર્મળ પાણી આવે ક્યારે ? કચરો, ગંદું પાણી નીકળે ત્યારે; અપૂર્ણ થાય ત્યારે પૂર્ણ થાય. કચરો કાઢ્યા વિના છૂટકો નથી. કચરો રાખવો અને પૂર્ણ બનવું એ બે કદી બનતું નથી. વેર રાખવું, ધિક્કાર રાખવો અને ધર્મ કરવો એ કદી નહિ બની શકે. જેને ધર્મી બનવું છે એને તો બધું જ કાઢવું જોઈએ, ખાલી થવું જોઈએ. અપૂર્ણ થયો એટલે પૂર્ણતા અંદરથી ઊભરાશે. પણ જો તમે પૂરવા માંડશો, બહા૨થી ભરવા માંડશો, ઉપરથી કચરો નાખવા માંડશો તો ધીમે ધીમે ઓછું થશે, ક્ષય થશે અને અધૂરું થઈ જશે. જે અંદરથી પૂર્ણ બનીને આનંદસ્વરૂપ બન્યા છે એ પૂર્ણાનંદ આત્માઓનો આ અદ્ભુત સ્વભાવ છે. અદ્ભુત શા માટે ? કારણ કે જગતમાં આવું કદી બન્યું નથી, જગતમાં તો કાંઈ જુદું જ બને છે. જગતમાં વસ્તુઓથી ભરાયેલો માણસ પૂર્ણ કહેવાય છે જ્યારે અહીં અપૂર્ણ માણસ પૂર્ણ બને છે. આ વાત જગતમાં અદ્ભુત અને આશ્ચર્યકારક છે. આપણો અત્યાર સુધીનો અભ્યાસ, સંસ્કાર અને વિચાર, દુનિયામાં જે ભરેલો છે, વધારે સાધનવાળો છે એને પૂર્ણ કહે છે. લોકો શું કહે છે ? “તમને શું ખામી છે ? તમે તો પૂરેપૂરા સુખી છો.” સુખી તો ખરા પણ પૂરેપૂરા સુખી ! Jain Education International પૂર્ણાષ્ટક ‰ ૩૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy