SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ માગતો છતાં એને એ કરવું પડે છે. કોક વાર જે નથી ચાહતો એ ચાહી લે છે. એવાં કામ તરફ તણાઈને, ખેંચાઈને ચાલ્યો જાય છે. કોઈ પણ કામ એકદમ નથી થતું. દરેક કાર્યનું background છે, પાર્શ્વભૂમિકા એ વિચાર છે. અજ્ઞાન મનમાં જુદું જ તત્ત્વ પડ્યું છે. એ અજ્ઞાત ચિત્તમાં વિચારો છુપાઈને બેઠા છે. જીવનમાં પળ એવી આવતાં છુપાઈને બેઠેલા વિચારોના દબાણને લીધે માણસ અણધાર્યું કામ કરી બેસે છે. વિશ્લેષણ કરશો, ઊંડાણમાં ઊતરીને ચિંતન કરશો તો લાગશે કે તમે જે કાર્ય કરી રહ્યા છો એની પાછળ તમારા અજ્ઞાત મનમાં, અજ્ઞાત ભૂમિકામાં પડેલો વિચાર છે એ તમને કો'કવાર એવી રીતે પ્રેરે છે, દોરે છે, ધક્કો મારે છે કે તમે વગર વિચાર્યું જ એક કામ કરી નાખો છો. સાંકડા દરવાજામાંથી બહાર નીકળવા પચીસ માણસો ઊભા હોય અને તમારી આગળ કોઈ સજ્જન ઊભો હોય. સહુને બહાર નીકળવું હોય, ઉતાવળ હોય એમાં ધક્કો લાગે અને આગળ ઊભેલો સજ્જન પડી જાય. એ ધક્કો કોણે માર્યો ? તમે માર્યો ? ના, તમે નથી માર્યો પણ પાછળ ઊભેલામાંથી કોઈકે ધક્કો માર્યો, એ તમને વાગ્યો, તમારો સજ્જનને વાગ્યો અને એ ઊથલીને પડી ગયો. માણસ પોતે પડવા નથી માગતો પણ પાછળથી ધક્કો આવી જતાં એ સમતુલા (balance) ગુમાવે છે અને પડે છે એવી રીતે વિચારોનો ધક્કો ચાલ્યો આવે છે અને એ નબળાં કાર્ય તરફ, ખરાબ ભાષા તરફ, ખરાબ વર્તન તરફ ઢળી પડે છે. માટે તમે બહારના કાર્યને કે દેખાવને બદલવાનો પ્રયત્ન કરો, ભાષાને સુધારવાનો પ્રયત્ન કરો તે પહેલાં વિચારોને સુધારવાનો પ્રયત્ન કરો. વિચારો કાર્ય અને ભાષાના જનક છે. જન્મદાતા છે. વિચારો બદલાતાં કાર્ય બદલાઈ જાય છે. વિચાર બદલાય છે સારા સંગથી, સારા વાંચનથી, સારા વાતાવરણથી અને ધ્યાનમાં પોતાના પરિચયથી, ધ્યાનમાં જ્ઞાન થાય કે દેખાઉં છું એ હું નથી, દેહ છે, ઇન્દ્રિયો છે, રૂપી છે તે દેખાય છે. હું અરૂપી છું, હું કાચમાં કેમ દેખાઉં, હું તો આંખની બારી પાછળ છું. આ ઇન્દ્રિય દ્વારા હું દેખું છું, હું ચૈતન્ય છું. જેમાં જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે માનવું અને ચારિત્ર એટલે માણવું – આ મારો આંતરવૈભવ છે. હું દરિદ્ર કે દુઃખી નથી. આંતરવૈભવ મારો શાશ્વત આનંદ છે. માનવતાનાં મૂલ્ય = ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy