SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ જેનો આ ભવ નથી સુધર્યો તેનો પરભવ કેવી રીતે સુધરે ? પણ સુધરવું એટલે બધા પૈસાદાર થઈ જાય, મોટા હોદ્દા ઉપર આવી જાય એમ નથી સમજવાનું. પૈસો આવ્યો, મોટાઈ આવી, પ્રતિષ્ઠા મેળવી એ બધું બહારનું છે, એથી અંદરની જાગૃતિ ક્યાંથી આવે ? દૃષ્ટિ અંદરથી સ્નિગ્ધ-અમીભરી થાય પછી જગતને જોઈને, જગતની વિભૂતિમત્તાને જોઈને મનમાં આનંદ થાય. વિચાર આવે : ભગવાને પુણ્ય કેટલા પ્રકારનું બતાવ્યું છે ! એમાં કેટલી વિવિધતા છે ! ચાર બહેનો હોય; એક કરોડપતિને ત્યાં જાય, બીજી મધ્યમ વર્ગમાં, ત્રીજી મહિને માંડ પૂરું કરે અને ચોથી દિવસનું પણ માંડ મેળવે. બધી જ બહેનો, પણ પુણ્યની પ્રકૃતિ જુદી. જ્ઞાનીને આ વાત સમજાય. અલબત્ત ! પુણ્યની પ્રકૃતિમાં ફેર છે; કોઈને ત્યાં વધારો તો કોઈને ત્યાં ઘટાડો; એ તો સંસારમાં ચાલ્યા કરશે પણ આત્મામાં કાંઈ ફેર નથી. આ જ્ઞાનદૃષ્ટિ આવે તો આ પળ, આ દિવસ, આ જીવન સંતોષથી સુધરે. જેનામાં આ જ્ઞાનદૃષ્ટિ છે એને આ મંદિરો, શાસ્ત્રો, ઉપાશ્રય, જ્ઞાન અને દર્શન કામ લાગે. જેને નથી એને કાંઈ કામ ન લાગે. એ ભલે પ્રવચન શ્રવણ કરે પણ ઘરમાં પ્રવેશે એટલે જેવો હતો તેવો ને તેવો જ. એક અજ્ઞાની રોજ ઘરમાં ઝઘડા કરે, લઢે. એ જાત્રાએ જવા તૈયાર થયો. એના જ્ઞાની મિત્રે કહ્યું : “તમે જાત્રાએ જાઓ છો તો એક કામ ન કરો ? આ તુંબડું લેતા જશો ? જ્યાં જ્યાં જાઓ ત્યાં ભગવાનનાં દર્શન આ તુંબડાને કરાવજો અને પવિત્ર નદીઓનાં પાણીમાં સ્નાન કરાવજો, જેથી આ તુંબડું છપ્પન તીર્થ જઈને આવે. પછી આને સમારીને એનું શાક બનાવીને ખાઈશું તો અમારામાં સદ્બુદ્ધિ આવશે.’’ અજ્ઞાની તુંબડું લઈને ગયો. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી બધે હવડાવ્યું, દર્શન કરાવ્યાં. ફરતો ફરતો હિમાલયથી હરદ્વાર સુધીના પવિત્ર ધામોમાં એ ફરી આવ્યો, તુંબડાને પણ ફે૨વી આવ્યો. યાત્રાથી પાછો આવ્યો એટલે મિત્રે જમવાનું નિમંત્રણ આપ્યું. તુંબડાને સમારીને શાક બનાવ્યું. મોઢામાં મૂક્યું તો મોઢું કડવું કડવું થઈ ગયું. થૂ થૂ કરવા લાગ્યો. મિત્રને કહ્યું : “ભાઈ ! પાણી આપો, મારે મોઢું ચોખ્ખું કરવું છે. શાક કરતાં પહેલાં કોઈએ ચાખ્યું પણ નહિ ?'' મિત્રે કહ્યું : “ભાઈ ! એમાં જોવાનું શું હોય ? બજારમાંથી લાવ્યા હો તો જોવાનું હોય પણ આ તો છપ્પન તીર્થની યાત્રા કરી Jain Education International પૂર્ણાષ્ટક * ૩૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy