SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પણ જેને આ જ્ઞાન થાય છે, તેના મનમાંથી ભૌતિક પદાર્થો માટેની લાલસા નીકળી જાય છે. એને થાય કે ઊર્મિઓથી આવેલી આ પૂર્ણતા એ કૃત્રિમ છે, બનાવટી છે. એક નબળો વિચાર આવ્યો એટલે પછી નબળા વિચારોની પરંપરા શરૂ થઈ જાય છે. નાવમાં એક કાણું પડ્યું પછી તો પાણી અંદરથી આવ્યા જ કરે છે. એક ભાઈ કહે : ‘“આ તે કેવું વિચિત્ર ! મારા શયનખંડમાં મેં આ ખીંટી મારી છે તે અહીં રહેવાની અને હું ચાલ્યો જવાનો !” વાત સાચી છે. આટલી મમતાથી ભેગી કરેલી વસ્તુઓ મૂકી દેતાં પરસેવો છૂટે છે. પણ તે પરાયી વસ્તુ છે એટલે મૂકવી જ પડે. પણ જો જ્ઞાનસારની આ વાત પચી જાય તો મૃત્યુ આવે તો જરાય અસ્વસ્થ થયા વિના કહે, “હું તૈયાર છું.' આ જ્ઞાન લોહીમાં અવતરી જાય. ચેતનામાં ઊતરી જાય તો સંસારસાગર તરી જવાય. દુનિયાની મૂડી મૃત્યુથી ડરાવે છે, જ્ઞાનનો ખજાનો આવે પછી કોઈનાથી ગભરાવાનું નથી. આ એક માનસિક મનોયત્ન છે. આ શ્રવણ કરતાં કરતાં આપણામાં રહેલી પૂર્ણતાનો અનુભવ કરીએ તો સંસાર પણ મધુર બને. સાધનોની કિમ્મત સમજનાર પૂર્ણ બને છે ત્યારે અંદરથી આનંદ ઊભરાય છે અને નિશ્ચળ તરંગ વગરના સ્થિર એવા સાગર-સરોવર જેવી માનસિક ભૂમિકા પ્રાપ્ત થાય છે. સાગરને કિનારે જળ જ્યાં છીછરાં હોય ત્યાં ખૂબ તરંગો દેખાય તે સાગરનું વાસ્તવિક દર્શન નથી. શાંત અને સ્વસ્થ એ હોય ત્યારે જ એની પૂર્ણતાનું સાચું દર્શન થાય છે. તરંગ વગરની નિશ્ચલ અવસ્થા એ જ પૂર્ણાનંદ સ્વરૂપ આત્માની સ્વસ્થતા છે. Jain Education International પૂર્ણાષ્ટક * ૩૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy