SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ જે દિવસે આત્મા સત્ છે, શાશ્વત છે, રહેવાનો છે એ સમજાય પછી સ્વજનના મૃત્યુમાં પણ નવાઈ ન લાગે. એ જાણી ગયો કે જન્મ પહેલાં પણ જીવન હતું અને મરણ પછી પણ જીવન છે. જીવન મરતું નથી, દેહ મરે છે. જીવન તો શાશ્વત છે એ જે જાણે છે એને કાંઈ અફસોસ નથી. જે ઘડીએ તમે આ સમજી જાઓ પછી તમને આંચકો લાગે જ નહિ. સંસારના બનાવોથી વધારે વૈરાગ્ય આવે. આંચકો કે આઘાત લાગે એવા બનાવો બને, ત્યારે ચેતના વધારે પ્રાજ્ઞ બને. મનમાં થાય કે જ્ઞાનીઓ જે કહેતા હતા એ સાચું પડ્યું. અત્યાર સુધી પુસ્તકિયું જ્ઞાન હતું, હવે મને દર્શન થયું. હું સત્ છું, મરવાનો નથી, આ વિવેક જાગતાં આ દેહની મમતાને કા૨ણે આજે જે દુ:ખ થાય છે તે દૂર થશે. ખ્યાલ આવશે કે આત્માનું સ્વરૂપ દેહથી જુદું જ છે. જે મર્યો છે તે જન્મ લેવાનો જ છે. મર્યો એટલે કાંઈ જતો નથી રહ્યો. “પાછો થયો', અહીંથી ગયો પણ ક્યાંક પાછો થઈ ગયો, બીજે ઠેકાણે જન્મ લઈ લીધો, એમાં દુ:ખી થવાનું શું ? સત્નો અનુભવ થાય એટલે જીવન પ્રત્યેની મૂર્છા ઓછી થાય અને મૃત્યુનો ભય નીકળી જાય. સોનું એ સત્ છે. દાગીનાને ભાંગી નાખો, ઓગાળી નાખો પણ સોનું તો રહે જ ને ? જૂનો દાગીનો તોડાવી નવો બનાવો. જૂનું ગયું, નવું થયું પણ સોનું તો રહ્યું જ. સોનું ત્રણે કાળમાં છે. એમ આપણા દેહ બદલાતા જાય છે. જન્મ-જન્માંતરમાં અનંત આકાર લેતા આવ્યા, પણ અંદરનું તત્ત્વ તે જ તટસ્થ સ્વરૂપે છે. મૂળતત્ત્વનો સ્પર્શ થતાં હું કેવો કે કેવી નથી રહેતું. આત્મા સ્વસ્થ છે. પુ: એટલે શહેર અને ઉષ એટલે વસવું. પોતામાં વસે તે પુરુષ. આત્મા સ્ત્રી નથી. પુરુષ નથી, નાન્યતર નથી. આત્મા તો આત્મા છે. આત્માને પુરુષ કહ્યો છે એટલે પુરુષનો આકાર નહિ. આત્માના ગુણોને ખીલવવા માટે, વિકસાવવા માટે, મેળવવા માટે જે કોઈ વ્યક્તિ પ્રયત્ન કરે એ પુરુષાર્થવાન વ્યક્તિ પુરુષ કહેવાય છે. આત્માના ગુણો માટે પુરુષાર્થ કરે તે પુરુષ. જે કોઈ આત્મા મહેનત કરે, આત્મા તરફ જવા માટે ઉદ્યમવંત બને, પોતાના પુરુષાર્થને પ્રકટ કરે એ બધા જ પુરુષ કહેવાય છે. આનંદધનજીએ ઠીક જ કહ્યું : “જેણે તેં જીત્યા રે તેણે હું જીતીયો, પુરુષ કીષ્યો મુજ નામ ?” હે ભગવાન, જે કષાયને, જે કામને તેં જીતી લીધા એનાથી તો હું જિતાઈ ગયો છું; તો પછી મારું નામ પુરુષ શેનું ? પૂર્ણાષ્ટક * ૨૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy