SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શરૂપ હોય છે. આવા પુરુષો જ્યાં જાય ત્યાં પોતાના આંતરવૈભવને વહાવતા હોય છે. જે વૈભવ દશ્ય છે એ સહુની નજરે આવે છે પણ જે અદશ્ય છે એને જોવા માટે તો ધ્યાનની સહાયતા લેવી પડે છે. સુવાસ અને સગુણ દશ્ય નથી, નજરે પડતાં નથી પણ જેની ઇન્દ્રિયો સચેત છે તે માણી શકે છે. ધ્યાનમાં આંતરવૈભવ જાણી શકાય. આપણું સૂક્ષ્મ તત્ત્વ અમુક પળોમાં આપણને સૂચના આપે છે, આપણા મનને દોરે છે, મારા જીવનમાં એક એવો પ્રસંગ હતો જેમાં માન હતું, સ્થાન હતું, આગેવાનો ઉત્સુકતાથી સન્માન આપતા હતા. મન પણ લલચાતું હતું, પણ ચેતનાએ ચેતવ્યો : “ના” પાડી તો જીવનની એક વિકટ ઘટના ટળી ગઈ. દેખાતા સુખની પાછળ લાંબા કાળનું દુ:ખ આવી રહ્યું છે એ વિચારશુદ્ધિ, ધ્યાન વિના કેમ દેખાય ? જે જાગૃત છે એ જ એને સાંભળે છે અને એ અવાજને આધારે આગળ વધે છે. મહાપુરુષોને જ્યારે વિચારોમાં ગરબડ લાગી ત્યારે કહ્યું : મને ઉપવાસ કરવા દો. મૌન કરવા દો, આત્મ-આલોચના કરવા દો, જોવા દો કે ભૂલ ક્યાં છે.” અને આ રીતે તેઓ શોધી કાઢતા કે અંતરના અવાજે જે કહ્યું એની વિરુદ્ધમાં કર્યું તેથી ગરબડ થઈ. પણ બીજો એક વર્ગ એવો છે જે આ તત્ત્વને દબાવવાનો, મિટાવવાનો ઉપાય લે છે – દારૂ, કામ કે કોઈ વ્યસન. આ વસ્તુઓ અવાજને દાબી દે છે. માણસ દારૂનું શરણું શા માટે લે છે ? ચોક્કસ માનજો કે ખરાબ કામ માટે એનું અંદરનું તત્ત્વ ના પાડતું હોય છે, કહેતું હોય છે : “તું ક્યાં જઈ રહ્યો છે ? તારા આચારને મૂકીને, તારા કુટુંબને મૂકીને, તારી વિશ્વાસુ વ્યક્તિઓને મૂકીને તું ક્યાં જાય છે ?” તરત પ્યાલી ભરે, પેટમાં ઠાલવે અને જ્યોતને બુઝાવી નાખે, હવે એ અવાજ શું કહેવાનો છે ? દબાઈ ગયો. અવાજ એને પરેશાન ન કરે એનો આ ઉપાય છે. જ્યોત ઝાંખી પડતાં દાનવ અને માનવમાં કાંઈ ફેર રહેતો નથી. દાનવને પણ ભૂલ માટે અફસોસ નથી અને વ્યસનને આધીન બનેલાને પણ અફસોસ નથી. બન્ને એક જ ભૂમિકા ઉપર છે. અંતર એટલું જ છે કે દાનવ માનવના વેશમાં ફરે છે. ધર્મનો સ્વાંગ પણ પહેરી લે છે. જાગેલ તત્ત્વને બંધ ન કરી શકાય તો એના ઉપર આવરણ તો જરૂર માનવતાનાં મૂલ્ય : ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy