SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ આવનાર વિષય-કષાય તમને શત્રુ લાગશે. તમારી શક્તિ પ્રગટાવવામાં મદદરૂપ થનાર સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્ર તમારા સાચા મિત્ર છે તેની પ્રતીતિ થશે. તમારું અસલી નૂર પ્રગટ કરવાની પ્રક્રિયા સતત ચાલુ રાખવી પડશે. આત્માની અનંત શક્તિને આવરનાર આવરણોનો નાશ સતત કરવો પડશે. ધ્યાનનું આ સાચું ફળ છે અને તે છે કર્મોનો નાશ. એક કુસ્તીબાજને પગ પર ઈજા થાય તો તેના પર પ્લાસ્ટર પાટો લગાવવો પડે. પણ પાટો છોડ્યા પછી તે તુરત જ ચાલી શકતો નથી. તે માટે તેને માલિશ કરવી પડે – ચાલવાની કસરત ધીરે ધીરે કરવી પડે. આ રીતે આત્માની શક્તિ પ્રગટાવવા પણ ધીરજ રાખી પ્રક્રિયા સતત કરવી પડે. જૈનદર્શનમાં એક સિદ્ધાંત છે “કો માણે કહે, ચલે માણે ચલે, નિજમાનો નિર્જયએ” કાર્ય શરૂ થયું એટલે પૂરું થયું. ચાલવા માંડ્યું એટલે મંજિલ મળવાની. તેમ કર્મનિર્જરાની શરૂઆત થઈ એટલે આત્મા શુદ્ધ થવાનો જ. એક વખત કર્મ દ્વારા આત્માને થયેલા ઘાને ધર્મરૂપ હવા ને પ્રકાશ મળવાં શરૂ થયાં, એટલે આત્મા અવશ્ય નીરોગી થવાનો. મનનું પોકળ અને શંકાનું નિરાકરણ થાય' અને તેમાં સર્જનાત્મક વિચારો ભરવામાં આવે તો આત્મશુદ્ધિનું કાર્ય બહુ સરળ બને. જ્ઞાન વિના આચરણ કેમ થાય ? રોગના નિદાન વિના ઇલાજ કેમ થાય? અને ઇલાજ વિના રોગ કેમ જાય ? અને રોગ ન જાય ત્યાં સુધી નીરોગી કેમ બનાય ? આ પ્રક્રિયા માટે મનને ધ્યાનના પ્રકાશથી ભરી, આપણી વિચારણામાં પડેલ કાણાં જ્ઞાન, સમજ અને અનુભવથી ભરવાં પડશે. એક વખત લેશમાત્ર શંકા વિના તમને શ્રદ્ધા થઈ જાય કે તમારી અંદર જ સૌન્દર્ય, સત્ય, શક્તિ અને સુખનું સમગ્ર વિશ્વ રચાયેલું છે, ત્યાર પછી તમારા આત્માની અનંત શક્તિ પ્રગટાવી શકશો. જે તમારું છે તે તમારું બની બહાર પ્રગટ થશે. જડ-ચેતનનું ભેદજ્ઞાન 5 ૨૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy