SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે, પણ વવાયા બાદ તેને હવા-પાણી મળતાં તે જમીનને ફાડી ઊગી નીકળે છે, ઉપર આવે છે. વ્યક્તિગત ચેતના જીવનના સ્વાભાવિક ક્રમ અને સહનશીલતામાંથી પસાર થાય છે. વિવિધ સ્પંદનોના સતત સંપર્કમાં આવે છે. જૂનાં રૂપો છોડી નવાં રૂપો સતત ધારણ કરે છે અને છેવટે તે માનવચેતનાની કક્ષાએ અથવા “હું કોણ છું” એ સમજવાની કક્ષાએ પહોંચે છે. માનવ સિવાય બીજા કોઈ જીવને આ પ્રશ્ન થતો નથી. માનવીમાં આવો પ્રશ્ન ઉત્પન્ન થાય, ત્યારે સમજી લેવું કે તેના “સ્વ'ની શોધની મુસાફરી શરૂ થઈ ગઈ. તેની પ્રગતિ શરૂ થઈ ગઈ. તેનું મન જ્ઞાનની ખોજમાં પડ્યું અને આત્માને જાગૃત થવાની દિશામાં તેનો સદુપયોગ થવા લાગ્યો. જ્યારે ચેતનાશક્તિ પોતાની જાત વિશે જાગૃત થાય છે ત્યારે તે પોતાના મનને અશુભ ભાવ પ્રતિ જતાં રોકે છે. જ્યારે અકસ્માત, માંદગી, મૃત્યુ, વિષય-કષાય ભર્યા પાપોના વિચારો અટકે છે, ત્યારે અશુભ કર્મ બંધાતાં નથી અને તેથી ખરાબ પરિણામો પણ આવતાં નથી. હવે મન આત્માનું અહિત કરવાને બદલે હિત કરે છે. હવે મન જડ અને ચેતન, આત્મા અને શરીર વચ્ચેનું વિષ્ટિકાર બને છે. હવે તે આત્મા સાથે જોડાયેલ હોવાથી તેના પ્રકાશનું પ્રતિબિંબ પાડે છે. આ રીતે જ્યારે મન ચેતનાશક્તિનું લેનાર અને વહન કરનાર બને છે ત્યારે તે ચેતનાના જ્ઞાન, સ્વીકાર, બોધ, દર્શન અને યાદદાસ્ત વગેરે ગુણો દ્વારા પ્રગટ થાય છે. મંત્રના પ્રયોગ દ્વારા ક્ષણભર મન શાંત થાય છે, શાન્તિમાં કર્મ તથા કંપનીના વિજ્ઞાનની પ્રકાશવંત સમજ પરિપક્વ થાય છે ત્યારે આપણે શરીર, વચન અને મનથી પેલે પાર જઈ આત્માના મૌલિક સત્યનો અનુભવ કરી શકીએ છીએ. ઊંડા ધ્યાનમાં ઉપર જણાવેલ ગુણોનું પ્રગટીકરણ સમાનાર્થ થઈ જાય છે અને તેમ છતાં આ અનુભવ શબ્દાતીત બની જાય છે. મન-વચન-કાયાથી જેમ ઉપર જઈએ તેમ જ્ઞાની પૂર્વજોએ શબ્દોમાં જણાવેલ આત્મરસનો અનુભવ કરી શકીએ છીએ. આત્માએ આત્માને આત્મા વડે મોહત્યાગથી જાણી શકાય. આવું જ જાણે તે જ તેનું જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. બારમી સદીના એક મહાન જૈન તત્ત્વચિંતકના કહેવા અનુસાર યોગનો અર્થ સમ્યફ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યફ ચારિત્રરૂપ એ ત્રણ રત્નો અંતિમ મુક્તિનાં મૂળ છે. આ ત્રણ રત્નો એટલે શું ? હેમચંદ્રાચાર્ય તેનો જવાબ આપતાં લખે છે : જડ-ચેતનનું ભેદજ્ઞાન ૨પ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy