SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન પરિસ્થિતિનું મૂળ કારણ બીજું કોઈ નહિ, પણ તમે પોતે જ છો. તમારા વિચારો, ઇચ્છાઓ અને મનનાં પરિણામો તે માટે જવાબદાર છે. તમારાં પરિણામો દ્વારા કર્મોને તમે આમંત્ર્યા છે અને તે મુજબ તમને બાહ્ય સંયોગો, પરિસ્થિતિઓ મળી છે. આપણે પરિણામો કરતાં તેમનાં મૂળ કારણોને સિંહવૃત્તિથી શોધવાં જોઈએ. આપણે એ બરાબર સમજી લેવું જોઈએ કે આપણી આસપાસ જે બની રહ્યું છે તેનો સીધો સંબંધ આપણી પોતાની જાત સાથે છે. કોઈ પણ સર્જન માટે આપણી જન્મસિદ્ધિ મૌલિક શક્તિ ઓળખાવી જોઈએ. આપણે આજે પોતાની જાતને સ્ત્રી યા પુરુષ, ઊંચા યા નીચા, સફેદ યા કાળા, શિક્ષિત યા ગમાર માનીએ છીએ, તે બધું આપણું પોતાનું બનાવેલું છે. આપણી ખામી માટે આપણે ભગવાનને દોષ આપી ન શકીએ. આપણે માત્ર એટલું જ કહી શકીએ કે “જીવનની એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં પ્રત્યેક આત્મા, એક યા બીજી રીતે, આકર્ષણ યા વિકર્ષણનાં કંપનોમાં, અજ્ઞાનના અંધકારમાં યા જ્ઞાનના પ્રકાશમાં તે તે પ્રકારે રૂપ ને ઘડે છે.” આ હકીકત સમજ્યા પછી આપણી કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ માટે આપણે બીજા પર દોષારોપણ કરી ન શકીએ. આપણે પોતે જ તેને માટે જવાબદાર છીએ. આ સમજ દઢપણે હૃદયમાં બેસી જાય તો પછી આપણા મનના આપણે અતિ જાગૃત ચોકીદાર બની જઈએ, જેથી એક પણ અશુભ વિચાર અંદર પેસી ન જાય, કારણ કે હવે આપણને એ દૃઢ પ્રતીતિ થઈ ગઈ છે કે આપણે જે કોઈ વિચાર મનમાં જવા દઈશું તેના પર કોમ્પ્યુટરની માફક પરિણામ આવશે. આંતરિક શક્તિ અને જવાબદારીની આ સમજથી, આ જ ક્ષણથી નૂતન ઉજ્જ્વળ ભાવિ ઘડવાનું શરૂ કરી દઈશું. આપણા વિચારોને શક્તિશાળી બનાવવા મન, વચન અને કાયામાં સંતુલન જોઈએ અને આ ત્રણેય ચેતનાશક્તિની ઉચ્ચમાં ઉચ્ચ કક્ષા સાથે સુસંવાદિતા જોઈએ. આ સિવાય સારો ઉમદા વિચાર આવે પણ તેનું જોઈતું ફળ ન આવે. દા.ત. એક માણસ એમ વિચારે કે “મારે લાંબું જીવવું છે'' પણ જો તે અન્ય જીવોને પોતાનાં મન-વચન અને કાયાથી ત્રાસ આપે તો કઈ રીતે તે લાંબા આયુષ્યની કર્મરજને આકર્ષનાર શુભ કંપનો ને આકર્ષી શકે ? તેનાં મન, વચન અને કાયા ત્રણેય બીજાને સુખ-શાતાથી રહેવા દે તો જ તેને લાબું આયુષ્ય બંધાય. ઘણા એમ કહે છે કે ‘‘હું આખો દિવસ પ્રાર્થના અને ધ્યાન ધરું છું છતાં કોઈ પરિણામ દેખાતું નથી.'' શા માટે આવું બને છે ? કારણ કે Jain Education International જડ-ચેતનનું ભેદજ્ઞાન × ૨૫૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy