SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ ન થાય ત્યાં સુધી આત્માની મૌલિક અસલી – મુક્ત અવસ્થાનો ખ્યાલ પણ નહિ આવે. આત્માનો સ્વભાવ સ્વતંત્રતામાં રહેવાનો છે. જડની ભાગીદારીમાં રહેવાથી આત્મા યા ચેતનાશક્તિ પોતાના વિકાસની કક્ષા અને ઊંડાણના ધ્યાન મુજબ આ મુક્તિની વિવિધ કક્ષાઓનો અનુભવ કરી શકશે નહિ, ધ્યાનમાં આપણે આપણી જાતને આપણી દિવ્યતાના અરીસારૂપ બનાવીએ છીએ. આપણે એવી અનુભૂતિ કરીએ છીએ. વિશ્વનું સર્જન કોઈ વ્યક્તિએ કર્યું નથી. પણ કાર્યકારણની વ્યવસ્થિત પ્રક્રિયા છે જેના પર ઈશ્વરનો પણ કાબૂ નથી. “વાવો તેવું ઊગે”નો અખંડ વૈજ્ઞાનિક નિયમ છે. આ પ્રક્રિયા કઈ છે ? આપણી ચેતનાની સ્થિતિ મુજબ તે શક્તિ કાં તો આકર્ષણ યા વિકર્ષણ કરશે, અથવા તો આ બંને ધ્રુવોની પાર જશે. આત્માના પ્રાકૃતિક સ્વભાવ મુજબ ચેતના આ બંને ધ્રુવોથી ઉપર ગયેલી છે અને તે સ્થિતિમાં તે ખંડનાત્મક યા સર્જનાત્મક બેમાંથી કોઈ જ જાતનાં કંપનો ઉત્પન્ન કરતી નથી. જે માનવી એવી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યો નથી, તે હજુ અમુક અવસ્થામાં આકર્ષણ અને વિકર્ષણની સ્થિતિમાં રહે છે. તેની કક્ષા મુજબ વિચારો ઉત્પન્ન થાય છે અને આ વિચારો અમુક જાતનાં કાર્મિક પુગલો આકર્ષે છે. આત્માને ચોંટેલ આ કાર્મિક રજની ઘનતા ને ગુણવત્તા મુજબ માણસ પ્રવૃત્તિ કરે છે. જ્યારે માણસ એ જાણે છે કે વિચાર પણ પુદ્ગલ છે, ત્યારે માનવજાત માટે એક નવા યુગનો ઉદય થાય છે. જેમ વિદ્યુત સંચાલિત પ્રવેશદ્વાર આગળ માણસની હાજરી માત્રથી કોઈ એવા પરમાણુઓ ઉત્પન્ન થાય છે કે જેનાથી હાર આપોઆપ ખૂલી જાય છે, તે જ રીતે આત્મા વિચાર કરે એટલે તરત જ તે વિચારો પુદ્ગલના રૂપમાં બહાર ફેંકાય છે, જે આજે તો વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે. આ વિચારોનાં રૂપ કેવી રીતે જોઈ શકાય ? વિદ્યુત પુદ્ગલ છે, છતાં દેખાતી નથી. તે જ રીતે વિચારો પણ પુગલ હોવા છતાં ચર્મચક્ષુથી અદશ્ય છે. તેમ છતાં વિચારોનાં જે પરિણામો દેખાય છે – અનુભવાય છે તે પરથી વિચારનું અનુમાન થાય છે. આપણી ખામીઓ, માંદગી, પીડા, શોક-દિલગીરીઅથવા પ્રસન્નતા, સુખ વગેરે. બધું આપણા વિચારોનું જ પરિણામ છે. વાસ્તવિક રીતે તો શારીરિક કાર્યો કરતાં વિચારોની શક્તિ અનેકગણી છે. શરીરવર્ગણાના પુદ્ગલ કરતાં મનોવર્ગણાના પુદ્ગલો અનેકગણા શક્તિશાળી છે. આ જ્ઞાનના ઉદયથી લોકો પોતાની વિચારસરણીમાં ક્રાંતિ લાવશે. તમારી રપ૬ માનવતાનાં મૂલ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy