SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ પ્રત્યે તેની દૃષ્ટિ જ નથી, અને તેથી “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા” માની પોતાના જીવન ને વિકારમય બનાવી જીવે છે, અને મૃત્યુ આવતાં અશાંત બની રોકકળ કરી મૂકે છે. મૃત્યુ સમયે અજ્ઞાની શોકાતુર બને છે અને આંસુ વહાવે છે. આપણાં વહાલાંનો વિયોગ થાય છે તે સમયે આજંદ અને શોક કરતાં આપણે વિચારીએ કે મૃત્યુ પામનાર, આપણી બાહ્ય ચર્મચક્ષુ આગળથી અદૃશ્ય થયા છે, પરંતુ સમગ્ર લોકમાંથી નહિ. અત્રે તેનું શરીર નકામું બન્યું પણ તેનો આત્મા તો વિશ્વમાં છે જ. આપણો પ્રેમ તેના નાશવંત શરીર પર હતો કે શાશ્વત એવા આત્મા પર ! શરીર પર પ્રેમ હોત તો તે શરીર તો અહીં શબ રૂપે છે – પછી આઝંદ શા માટે ? અને શરીરનું સંચાલન કરનાર આત્મા પર આપણો પ્રેમ હોય તો તે આત્માએ બીજે ઉચ્ચ સ્થાનમાં જન્મ લઈ લીધો છે. આ તત્ત્વજ્ઞાન સમજ્યા પછી આપણી દૃષ્ટિ વિશાળ બનતાં આપણે આપણી જાતને પૂછીશું “શું ગયું ? માત્ર બાહ્ય રૂપપદાર્થ. સોનાના દાગીનો ભાંગી નાંખો કે ગાળી મૂકો, બાહ્ય આકાર જવાનો. મૂળ સોનું તો એ જ સ્વરૂપમાં રહેવાનું, જેમાંથી બીજો સુંદર દાગીનો બનવાનો.” આત્માની અનંત મુસાફરીમાં આપણે આ જીવનમાં અલ્પ સમય માટે આ ભવમાં આવ્યા છીએ. આ આપણો કાયમી મુકામ નથી. આપણી ધ્યેયપૂર્તિ માટે આ નાશવંત શરીરનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો છે. આપણે એમ વિચારવું જોઈએ કે આપણા સ્વજનનું મૃત્યુ થયું અને તે પોતાના ધ્યેયની પૂર્તિ માટે બીજે ક્યાંક ગયા છે. તમારો તેની સાથેનો સંબંધ, ઋણાનુબંધ બાકી હશે તો બીજા ભવમાં પણ રહેવાનો છે. તેથી તેના પર સાચો પ્રેમ હોય તો તેને તમારાં શુદ્ધશુભ અને પવિત્ર આંદોલનો મોકલતા રહો. તમારા આંસ તેને પહોંચવાનાં નથી. પણ તમારાં આ શુભ-શુદ્ધ સ્પંદનો – આંદોલનો જરૂર પહોંચવાનાં. દરેક બીજમાં, દરેક રૂપમાં શાશ્વતતાનાં સાતત્યને તાદશ્ય જુઓ. આ જ સિદ્ધાન્ત આપણને પોતાને લાગુ પાડો. બાહ્ય રૂપ-શરીર સડશે, નાશ પામશે, પણ દરેક શરીર યા રૂપના કેન્દ્રમાં કશુંક શાશ્વત છે. અને તે છે ચેતનાશક્તિ. મા શક્તિનું પ્રગટીકરણ આરંભવેળાએ નાનકડા બીજમાં જોયું તેમ તેની શનિ જોઈ શકીએ છીએ. તેનું ફૂટવું એટલું બધું જોરદાર હોય છે કે તે કઠણ પૃથ્વીને પણ ફોડી શકે છે. વિકાસ માટે તેની ઇચ્છાશક્તિ એટલી બધી પ્રબળ હોય છે કે તેને ઢાંકતી પૃથ્વીને ફાડીને ઉપર આવી શકે છે, શા માટે ? કારણ કે તેની પાસે ચેતનાશક્તિ છે. આપણે માનવો પણ જો આપણામાં પરાકાષ્ઠાના વિકાસને – યોગ્ય ચેતનાશક્તિને બરાબર ઓળખી લઈએ, તો જીવનવિકાસની જડ-ચેતનનું ભેદજ્ઞાન + રપ૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy