SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ દોડ્યું; એણે દોડતાં દોડતાં પાછું વાળીને જોયું, ત્યાં બંનેની આંખો મળી. ટોચ પર રહેલાં સિંહને થયું કે આ તો મારો જાત ભાઈ છે. સિંહ ઘેટાના ટોળામાં કેમ ? આ મારાથી કેમ ડરે છે ? એણે ગર્જના કરી કહ્યું : “વિચાર કર. | દોડ નહિ. આપણે એક જ કુળના છીએ. તારે મારાથી ડરવાનું ના હોય, તું પણ મારી જેમ ગર્જના કરી શકે, ત્રાડ નાંખી શકે, પૂછડું પછાડી શકે, અને મુક્ત રીતે આ જંગલમાં વિહરી શકે; જો તું તને ઓળખે તો !” પણ એમ કાંઈ એ માને ? વર્ષોથી ઘર કરીને બેઠેલી વાત એક ક્ષણમાં કાંઈ નીકળી જાય ? એ તો નાઠું અને ઘેટાનાં ટોળાં ભેગું થઈ ગયું. પણ પેલા સિંહના છેલ્લા શબ્દોના પડઘા એના મગજમાં રમવા લાગ્યા. “તું તને ઓળખ. ગર્જના કરવા પ્રયત્ન કરી જો.” આ શબ્દો એના મનમાંથી કેમેય ખસે નહિ, એણે અવાજ કરવા પ્રયત્ન આદર્યો, પણ બેં બેં અવાજ નીકળ્યો. ઘણા કાળના ઘેટાના સહવાસથી એ પોતાનો અવાજ ખોઈ બેઠું હતું. એક સાંજે સરિતાકિનારે એ સિંહબાળ પાણી પીવા ગયું. ત્યારે તેણે પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોયું, તો પોતાનું શરીર આ ઘેટાં જેવું નહિ, પણ પેલા સિંહ જેવું લાગ્યું. હવે એને સિંહના શબ્દોમાં વિશ્વાસ બેઠો. એણે પ્રયત્ન આદર્યો. એક વાર – બે વાર – ત્રણ વાર, અને એના અવાજમાં રણકો આવ્યો. ઘેટાં ભડક્યાં. ભાગવા લાગ્યાં, સિંહમાં આત્મવિશ્વાસ પ્રગટ્યો. એણે જરા જોર કર્યું. ત્યાં ભરવાડ અને ઘેટાનાં કાળજાં ફાડી નાખે એવી ગર્જના એના અવાજમાંથી પ્રગટી. ભરવાડ ને ઘેટાં હવે ઊભાં રહે ? સિંહે પોતાના સ્વરૂપને ઓળખ્યું, તો તે વનરાજ થયો, મુક્ત થયો. તમે પણ તમારા સ્વરૂપને ઓળખો. જીવનના ઉન્નત શિખર પર ચઢી ગર્જના કરો. સિહવૃત્તિ કેળવો. તમારી આસપાસ ઘેરો ઘાલીને બેઠેલ વાસનાનાં બકરાં ભાગવા માંડશે. તમારી ત્રાડ સાંભળી લાલસા તો જીવ લઈ દોડશે. આજ સુધી ઇંદ્રિયોના સહવાસમાં રહીને આત્મા પોતાનું સ્વરૂપ, પોતાની શક્તિ, પોતાનો શા ત પ્રકાશ બધું જ ભૂલી ગયો છે, અને ઇંદ્રિયોની પ્રેરણાથી વાસના પાછળ પરવશ બનીને દોડે છે, એને જગાડો. જીવનદ્રષ્ટાઓ આપણને સંબોધે છે. જાગો અને જુઓ, તમે કોણ છો ? તમારામાં અદમ્ય શક્તિ છુપાયેલી છે ! તમે ધારો તે કરી શકો, જે દુનિયામાં મહાન થયા તે તમારામાંના જ એક હતા. ભગવાન શ્રી નેમિનાથને શ્રી કૃષ્ણ પૂછ્યું ત્યારે, અને ભગવાન શ્રી મહાવીરને મગધપતિ શ્રેણિકે પૂછ્યું ત્યારે, એમણે આ જ ઉત્તર આપ્યો હતો; તમારો આત્મા પણ મારા જેવો જ છે, અને મારા જેવું જ સ્થાન તમને મળવાનું છે, પણ આજ તમારો આત્મા કર્મોને હવે તો જાગો ! ૨૧૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy