SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ તો ઠીક, પણ માણસ તરીકે પણ લાયક કઈ રીતે ગણાય ? માણસ આવો ભીરુ થઈ જાય છે, કારણ કે બાલ્યકાળમાં એને આત્મવિદ્યા મળી નથી. આત્માની અમરતાનો સંદેશ મળ્યો નથી. માબાપે એના દેહનું ભરણપોષણ કર્યું, પણ આત્માનું પોષણ ન કર્યું. દેહનું પોષણ તો કૂતરાં બિલાડાં પણ કરે છે. માનવીનું ગૌરવ બાળકોના માત્ર દેહનું પોષણ કરવામાં જ નથી. માણસનું ગૌરવ પોતાના સંતાનને સંસ્કારી ને તેજસ્વી બનાવવામાં છે. મારી આ વાત તમને આજે કદાચ કડવી લાગશે, પણ તે સત્ય છે. વિચારી જોજો. આજ નહિ તો કાલે જરૂર સમજાશે. મદાલસા પોતાના બાળકને પારણામાં ઝુલાવતાં પણ ગાતી : સિદ્ધો સિ વૃદ્ધોડસિ નિરંગનોકસિ | વત્સ ! તું સિદ્ધ છો. સિદ્ધિઓ તારામાં છે. તું બુદ્ધ છો. બુદ્ધિ-પ્રજ્ઞા તારામાં છે. તે નિરંજન છો. તને કોઈ વાસનાને રંગે રંગી શકે તેમ નથી, તું મુક્ત છો. તને બાંધનાર આ વિશ્વમાં એકેય તત્ત્વ નથી. તું સ્વતંત્ર છો, મુક્ત છો. હાલરડામાં જ જે બાળકને આવું મુક્તિનું ગીત સાંભળવા મળે, તે યુવાન તેજસ્વી, ત્યાગી કે પ્રતાપી કેમ ન બને ? આજનો યુવાન એ આશાની જ્યોત નથી, પણ નિરાશાનો દરિયો છે. એનામાં જીવનની ખુમારી નથી, પણ વાસનાની બીમારી છે. જે દેશના યુવાનો વિલાસી વાતાવરણમાં ઊછરે છે, તે દેશની પ્રજા ધીમેધીમે નિર્વીર્ય થઈ જાય છે. પ્રજાને મહાન બનાવવા યુવાનો સામે આદર્શ જોઈએ. એમની સામે સંયમનાં પ્રતીકો જોઈએ. જ્યાં એમને ઘડવામાં આવે છે, એમને કેળવણી આપવામાં આવે છે, એ સ્થાનો કેવાં હોવાં જોઈએ ? ત્યાં વિલાસ અને વિકારની હવા હોય તે પાલવે ? પણ આજ તમે જોશો તો વિદ્યામંદિરમાં પણ કટ અને વટ સિવાય વાત નથી. આપણે કૉલેજોને વિદ્યામંદિરો કહીએ છીએ, પણ મંદિરને અનુકૂળ સંયમ અને પવિત્રતાથી ભરેલું વાતાવરણ છે ? અને કેળવણી શા માટે લેવામાં આવે છે, તેનું ધ્યેય-ચિત્ર પણ વિદ્યાર્થીઓ સમક્ષ ક્યાં છે ? “જ્ઞાનસ્થ અને વિરતિઃ ” જ્ઞાનનું ફળ વૃત્તિઓનો વિરામ છે. જ્ઞાન મળે તો વિરામ આવવો જોઈએ, પણ આજે એવું દેખાય છે ? વિદ્યાર્થીઓમાં શિસ્ત ને સભ્યતા છે આજે માણસ વૃત્તિઓથી વિરમવા માટે નથી ભણતો, પણ વૃત્તિઓના તાંતણા કરોળિયાની માફક વધારે ને વધારે કઈ રીતે કાઢી શકાય એ માટે ભણે છે. સીધી ભાષામાં કહીએ તો એમ કહી શકાય કે ગુનો કરીને છુપાવવો કેમ, અસત્યને સત્ય બનાવવું કેમ, એ માટેનું કૌટિલ્ય શાસ્ત્ર ભણે છે. ૨૦૮ ૪ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy