SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ તેને આત્મોન્નતિનો વિચાર ક્યાંથી આવે ? તેનો આત્મા કેમ જાગે ! જે માણસ કેવળ જડ વસ્તુઓની મોહકતામાં મગ્ન રહે છે, તેને આત્મા કેવો બળવાન છે એ નહિ સમજાય. અને જેને આત્માની તાકાતનો ખ્યાલ નથી તે મૃત જીવન જીવે છે. આજે એવાં મૃતજીવનોની સંખ્યા વધી રહી છે. એ મૃત જીવનમાં ચેતનાના પ્રાણ ફૂંક્વા માટે જ આજના સંબોધનનો વિષય રાખ્યો છે - આત્મજાગૃતિ. આપણને એવા કેટલાય માણસો મળે છે, જેમને પોતાના શબ્દોમાં વિશ્વાસ નથી, વાણીમાં શ્રદ્ધા નથી, જીવનમાં તેજ કે તાકાત નથી; એ નિર્માલ્યની જેમ કહે : “મારાથી આ કામ કેમ થશે ? આ કામ તો ખૂબ અઘરું છે.” આ નિર્માલ્ય શબ્દો કોણ બોલાવે છે ? દેહભાવ બોલાવે છે. આત્મભાનવાળા આવું કદી ન બોલે. ચેતનાવંતની વાણીમાં તો તેનાં કિરણો ચમકતાં હોય છે. તાકાતના તણખા ઝરતા હોય છે. રઘુવંશમાં કાલિદાસે લખ્યું છે. રઘુવંશનાં બાળકો એવાં હતાં જે શેશરે ૩૪મ્યસ્ત-વિદ્યાનાં બાલ્યકાળમાં જ આત્મવિદ્યાનું સિંચન પામતાં હતાં એ કઈ વિદ્યા ? પેટ ભરવાની નહિ. પૈસા ભેગા કરવાની નહિ. એ વિદ્યા તો કીડી-મંકોડાને પણ આવડે છે. એ પણ ગળપણ મળે ત્યાં દોડી જાય. આમંત્રણની પણ રાહ ન જુએ ! અમે બેઠા હતા ત્યાં એક વાર કીડીઓ ઊભરાઈ. એક ભાઈએ તેની આસપાસ રાખ નાંખી. એટલે થોડી વારમાં તે ચાલી ગઈ. કીડીઓને લાગ્યું કે અહીં રસ નથી, રાખ છે. રસવૃત્તિને પોષવામાં તો કીડીઓ પણ પાવરધી છે. માણસની વિશિષ્ટતા પેટ ભરવાની વિદ્યામાં નથી. એની વિશિષ્ટતા અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, એ વિદ્યા પ્રાપ્ત કરવામાં છે. પ્રાચીનકાળમાં શિશુને નાનપણથી જ એવા વિચારોમાં ઉછેરવામાં આવતું, જેથી તેનો આત્મા સદા જાગ્રત રહેતો. નિરાશાજનક કે નિર્માલ્ય વાતો એમની આગળ ઉચ્ચારવામાં આવતી જ નહિ. રામચન્દ્રજી યૌવનને આંગણે રમતા હતા તે સમયે ચીનનું સૈન્ય મિથિલા પર ચડી આવ્યું. જનકે પોતાના મિત્ર શ્રી દશરથ પાસે સહાયતા માગી અને કહેવડાવ્યું : “તમારા વીરપુત્ર શ્રી રામ અને લક્ષ્મણને સૈન્ય સાથે અમારી વહારે મોકલો. શ્રી દશરથ જરા થંભ્યા, મમતાને લીધે વિચારના વંટોળિયામાં એ અટવાઈ ગયા. એ જંગલી ને કદાવર માણસો સાથે આ બાળકો કેવી રીતે લડશે ? છતાં એ બોલ્યા નહિ. મનમાં જ વિચારતા હતા, પણ રામ પિતાનો ૨૦૬ % માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy