SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ હાથ, કાન અને આંખ ખાવાની ના કહી, ત્યારે શિયાળે કહ્યું : “તો આ બે પગ ખાઉં ?” યોગી કહે : “પાવી ન તીર્થનતૌ । ભાઈ, પગ પણ ખાઈશ નહિ, કારણ કે એ તીર્થે ગયા નથી. કદાચ કોઈકવાર તીર્થે જાય તો પણ ઘોડાગાડીમાં, મોટરમાં કે ડોળીમાં. બીજાને માથે પોતાનો ભાર નાખી તીર્થે ગયા તેથી શું વળ્યું ? પોતાના સ્નેહી આવવાના છે, એમ જાણવા મળે અને વાહન ન હોય તો પગે ચાલીને પણ સામે જાય. સવારે ફરવા જવાનું walking માટે જવાનું હોય તો માઈલો સુધી ચાલે. કોઈ આસામી ફેઈલ થઈ જવાની છે, એમ સાંભળે તો અધરાતે પણ વાહન વિના ત્યાં દોડી જાય, પણ યાત્રાએ જતાં થાક લાગે. પૈસાનું નામ આવે ત્યા પગમાં જોર આવે. પ્રભુનું નામ આવે ત્યાં કંટાળો આવે. શરીરને શ્રમ આપ્યા વિના, પગે ચાલીને ગયા વિના, યાત્રાનો પૂર્ણ લાભ કઈ રીતે મળે ? આજકાલ યાત્રાનાં ધામો, તીર્થસ્થાનો અને ધર્મસ્થાનો અયોગ્ય આત્માઓને લીધે કર્મસ્થાનો બની રહ્યાં છે. ત્યા જાય એટલે ન ખાવાનું ખાય, ન પીવાનું પીએ, જુગાર ૨મે અને લહેર કરે. તમે તીર્થસ્થાનોમાં રહેલી ધર્મશાળાઓની ઓરડીઓ જોશો તો તમને લાગશે : ક્યાંક બીડીનાં ઠૂંઠાં પડ્યાં હશે, ક્યાંક સિગારેટનો કચરો પડ્યો હશે, દીવાલ પર પાનની પિચકારીઓ મારેલી હશે અને આવનાર સપૂતોનાં નામ કોલસાના કાળા અક્ષરોમાં કોતરેલાં હશે ! આ ઓરડીઓ આપણી શુચિતા ને સંસ્કારિતાની પારાશીશી સમી છે. આ બધું બની રહ્યું છે, કારણ કે જીવનમાં ધર્મ નથી. ધર્મને લોકોએ મંદિરમાં જ પૂરી રાખ્યો છે. એને હવે બહાર લાવો. જીવનમાં લાવો. માણસ જેમ જમે છે રસોડામાં, પણ એ ખોરાકને પચાવે છે બજારમાં. પચાવવા માટે રસોડામાં જ બેસી રહેવું પડતું નથી, તેમ માણસે ઉપાશ્રય ને મંદિરોમાંથી ધર્મને ગ્રહણ કરી, એનો ઉપયોગ વ્યવહારમાં બજારોમાં કરવો જોઈએ. ધર્મને મંદિરમાં જ ન રખાય. ધર્મ જીવનમાં, વ્યવહારમાં અને વર્તનમાં આવશે તો જ એનો મહિમા વધશે, તો જ એ ધન્ય થશે. તો જ એ જીવંત બનશે. સાચી યાત્રા કોનું નામ ? થોડાં વર્ષો પહેલાંની આ વાત છે, જ્યારે લોકો યાત્રા વાહનમાં નહિ, પણ પગપાળી કરતા હતા, તે દિવસની આ વાત છે. એક શેઠ તખતગઢથી પાલિતાણાની યાત્રાએ ગયા. સાથે એમનાં પત્ની પણ હતાં. બંને જણ લાંબો પ્રવાસ કરી પાલિતાણા પહોંચ્યાં. ગિરિરાજ ઉપર ચાલીને ચઢ્યાં ને દેવનગરીનાં Jain Education International - ૧૮૬ માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy