SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સૌન્દર્ય માટે કહેવાય છે શુદ્ધમ્ પાવિ સૌન્દર્યમ્ – એ સૌન્દર્ય શુદ્ધ છે, પાપને નહિ સ્પર્શેલું તે પવિત્ર છે. આપણા મહાકવિ કહે છે. ઓ રસતરસ્યા બાળ, રસની રીત ન ભૂલશો ! પ્રભુએ બાંધી પાળ, રસસાગરની પુણ્યથી.” ચામડાની રૂપકડી પૂતળીઓની શોધમાં જ્યાં સુધી આંખો પછાડા ખાતી હોય ત્યાં સુધી તેનામાં સૌન્દર્યરસ ઉપાસિકા શુદ્ધ ચેતના છે એમ કેમ કહેવાય ? હું કહું છું, સૌન્દર્યના ભક્ત બનજો. એને પૂજજો. પણ તે સૌન્દર્ય આત્મિક હોવું જોઈએ. યાદ રાખજો સૌન્દર્ય કાંટો નથી, ફૂલ છે. એનાં દર્શનથી ઘા ન વાગે, પણ હૃદય સુવાસિત થાય. ડંખ લાગે ત્યાં સૌન્દર્ય નથી પણ વાસના છે. સિનેમા જઈને આવ્યા પછી હૈયું નિર્મળ ને હળવું નથી બનતું, પણ વિકલ્પોના ભારથી ભારે બને છે, જ્યારે વીતરાગનાં દર્શનથી મન વિકલ્પોથી મુક્ત બની હળવું ને સુવાસિત બને છે. એટલે કવિએ કહ્યું છે : અખિયન મેં અવિકારા જિનંદા, તેરી અખિયનમેં અવિકારા, શાંત રુચિ પરમાણુ નિપાયા, તુજ મુદ્રા મનોહારા. હે ભગવાન ! તારી આંખોમાં અધિકાર છે, કારણ કે શાંત અને પવિત્ર પરમાણુઓથી ઘડાયેલી તારી મનોહર મુદ્રામાં વિકાર ક્યાંથી હોય ? અમારી આંખો વિકારી છે; કારણ કે રાગ અને દ્વેષના અપવિત્ર પરમાણુઓથી ઘડાયેલા અમારા દેહમાં અવિકાર ક્યાંથી હોય ? અમારા વિકારના અંધકારને તારાં દર્શનની જ્યોતમાં અમે બાળવા માટે આવ્યા છીએ. એને તું બાળી નાખ અને અમને પણ અવિકારી બનાવ. આપણી આંખોમાં શું ભર્યું છે તે આપણને દેખાતું નથી. જેમ મોં પર ડાઘ હોય પણ આપણને ન દેખાય, અરીસો મળે તો જ આપણે આપણા મુખ પર રહેલા ડાઘને જોઈ શકીએ. તેમ આગમશાસ્ત્રનો અરીસો મળે તો આપણી આંખોમાં રહેલા વિકારને આપણે જોઈ શકીએ, પણ આપણને તે જોવાની ફુરસદ નથી. મોહની મહાપ્રસાદ મદિરા પીને આપણો આત્મા ચકચૂર બન્યો છે; ઘેલો બન્યો છે. ઘેનમાં એ પોતાના દોષનો ટોપલો બીજા પર ઢોળે છે. એક માણસને અમદાવાદથી મુંબઈ જવું હતું. એણે મુંબઈની ટિકિટ કઢાવી અને પ્લેટફોર્મ પર આવ્યો, તે દારૂ પીને ચકચૂર બન્યો હતો. કેફમાં કઈ ગાડીમાં બેસવું એનું એને ભાન ન રહ્યું. તે આબુ ભણી જતી ગાડીમાં ૧૮૪ માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy