SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો દ્રોહ પણ કયો ? એ વચનભંગના પાપમાં હું નિમિત્ત બને ? એ કદી ન બને. બસ, ત્યારે રાજ્ય છોડી વનમાં જાઉં, અને ભરતનો માર્ગ નિષ્કર્ટક બનાવું. પિતાજીની પ્રતિજ્ઞા અખંડ રહો.” કરુણાદ્રિ વીર માતા શ્રી કૌશલ્યાજીના પવિત્ર આશીર્વાદ લઈ શ્રી રામચંદ્રજી ચાલી નીકળ્યા. આગળ શ્રી રામ, પાછળ પુણ્યવતી શ્રી સીતાજી અને એની પાછળ શ્રી લક્ષ્મણજી - આ ત્રિમૂર્તિને જંગલની વાટે જતી જોઈ અયોધ્યાનાં નરનારીઓ રુદન કરવા લાગ્યાં. આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. આનંદભર્યા સૂરને છેડતી શરણાઈઓ બંધ પડી. શોકનું વાતાવરણ જામતું ગયું. પ્રજાના હૃદયના બંધને તોડી નાખે એવી વિયોગની વાંસળી વાગવા લાગી. પ્રજા શ્રીરામની પાછળ ચાલી નીકળી. ત્યારે શ્રી રામે સૌને પ્રેમથી સમજાવીને પાછા વાળ્યા અને એ વન ભણી ચાલી નીકળ્યા. ધર્મ કોણ આચરી શકે ? પંડિત હોય તે. પંડિત ધર્મનો ને કર્તવ્યનો વિચાર કરે, જ્યારે મૂર્ખ હક્કની માથાકૂટ કરે છે. શું શ્રી રામ ધારત તો રાજ્યના માલિક ન બની શકત ? એ આજના લોકોની જેમ કહેતા કે “ચાલો ચૂંટણી કરો. મતદાન કરાવો. બહુમતી કોને મળે છે ? મને કે ભરતને ? મેં પ્રજાનો પ્રેમ કેટલો સંપાદન કર્યો છે એની મારે કસોટી કરવી છે.” એમ કહી શ્રી રામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હોત તો ? તો શું થાત ? આજ ચૂંટણીવાળાઓ પ્રત્યે જે નજરથી પ્રજા જુએ છે, એ જ નજરથી શ્રીરામને પણ પ્રજા નીરખત ! બીજી એક વાત વિચારો. શું શ્રી રામ એમ ન કહી શકત કે “આ ડોસાની બુદ્ધિ તો હવે ભ્રષ્ટ થઈ ગઈ છે. એણે શું કરવા બીજી પત્ની કરી ? અને શું કરવા આવું વગર વિચાર્યું વચન આપ્યું ? એણે આપ્યું છે તો એ જાણે. મારા હક્કના રાજને ભરતને આપનાર એ કોણ ? એ બૂઢાના વચનને પાળવા હું કંઈ બંધાયો નથી.” આવી દલીલ કરી હોત તો ? પણ એ જમાનામાં આજના જેવા સ્વાર્થી વકીલો નહોતા. એ જમાનામાં આજના જેટલી હક્કની મારામારી નહોતી. સૌને પોતાના ધર્મની પડી હતી, સૌને પોતાનું કર્તવ્ય યાદ આવતું હતું. શ્રી રામચંદ્રજી તો એક જ વાત સમજતા હતા કે ત્યાગ કરવો એ મારો ધર્મ છે. પિતાના વચનને અભંગ રાખવું એ મારું કર્તવ્ય છે. આ કર્તવ્યનિષ્ઠાની અસર શ્રી સીતાજી પર પણ પડી. અને એટલે જ એમણે પણ પોતાના પતિના કાન ન ભંભેર્યા. એમણે વિચાર્યું : “પતિને પગલે ચાલી નીકળવું એ સતીનો ધર્મ ! પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી હવે તો જાગો ! * ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy