SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિએ શાન્ત દેખાતા હોય, પણ સિનેમામાં કે નાટકમાં જાય એટલે નટીઓને જોઈને વેંતવેંત ઊંચા થઈ જાય ! નીરખીને આ બૂઢાઓની અનાસક્તિ ! વૃદ્ધ થવા છતાં વાસના ન જાય તો એ આખા કુળને કુમાર્ગે લઈ જાય. જેમ વાળ ધોળા થતા જાય તેમ હૈયું પણ ધોળું થવું જોઈએ. શ્રી દશરથજી ઉપદેશ સાંભળ્યા પછી પણ વિરાગી બન્યા છે. એમણે પોતાના હૈયાને કેળવ્યું છે, એટલે એ વિચાર કરતા આવે છે, કે હવે રાજ્યનો ભાર ઉતારી હું હળવો બનું, ને સંયમની સાધના કરું એ જ પ્રસંગે બારણામા ઊભેલાં કૈકેયીને જોઈ એમણે પૂછ્યું : કાં બારણામાં કેમ ? આજે તમે ઉદાસ કાં જણાઓ છો ? આજ તો આનંદનો દિવસ છે. જે જોઈએ તે માંગો. આજે કંઈ જ મોઘું નથી.' ત્યારે કૈકેયીએ કહ્યું : ‘શું માગું ? મારે બીજું માંગવાનું શું હોય ? તમારી જેમ મારો ભરત પણ ત્યાગના રંગે રંગાયો છે. મારા હાથમાંથી તો પતિ ને પુત્ર બંને જાય છે, એટલે પુત્રને રોકવાનો માર્ગ એક જ છે. રામને બદલે ભરતનો રાજ્યાભિષેક કરો, અને તમે લગ્નકાળે આપેલું વચન પાળો એ જ પ્રાર્થના.' કૈકેયીનાં વચનો સાંભળતાં શ્રી દશરથજીને પોતાની છાતી પર મોટી શિલા પડી હોય એવો કારમો આઘાત થયો. આનંદ ઊડી ગયો. લોહી થીજી ગયું. એકદમ મૂર્છા આવી ને ધરણી ૫૨ ઢળતાં કહ્યું. “તથાસ્તુ...” મોહનું સામ્રાજ્ય કોઈ અજબ છે. મોહ એ વૈરાગ્યવાસિત હૈયાંઓના બંધને પણ તોડી નાંખે છે. નાવિક સાવધાન ન રહે તો કિનારે આવેલી નૌકાને પણ મોહના મારકણા વાયરા મધદરિયે ખેંચી જાય ! શ્રી દશરથજીની મૂર્છાના દુઃખદ સમાચાર અન્તઃપુરના માણસે શ્રી રામચન્દ્રજીને આપ્યા. આ સમાચાર સાંભળતાં વિનયી શ્રી રામ સ્તબ્ધ બન્યા. આ વખતે શ્રી રામચન્દ્રજીને એક જ વિચાર આવ્યો : ‘મારું કર્તવ્ય શું ? મારો ધર્મ શું ? પુત્ર તરીકેની મારી ફરજ શું ? પિતાજીની ઇચ્છા એ જ મારી ઇચ્છા. પિતાજીના વચનનું પાલન કરવું એ જ સુપુત્રનો ધર્મ ! પિતાના વચનનો ભંગ કરે તે પુત્ર નહિ પણ પથ્થર ! એ સપૂત નહિ પણ કપૂત !' પંડિતાઈભર્યો આ દીર્ઘ વિચાર કરી, એમણે તેજથી ઝળાંહળાં થતો રત્નમુગટ હાથમાંથી નીચે મૂક્યો અને વિચાર કર્યો કે, “હું જ્યાં સુધી અયોધ્યામાં હોઉં, ત્યાં સુધી ભરતનો રાજ્યાભિષેક થાય નહિ, અને એ રાજ્યને સ્વીકારે પણ નહિ. અને એ રાજ્ય ન સ્વીકારે તો પિતાજીના વચનનું પાલન કઈ રીતે થાય ? અને વચનભંગ જેવું બીજું પાપ પણ કયું ? વચનભંગ જેવો Jain Education International ૧૩૮ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy