SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૩૯. વિશેષજ્ઞ દ૨મો સદ્ગુણ દીર્ઘદર્શિતાનો આપણે જોયો. દીર્ઘદર્શી માણસ તત્ક્ષણના લાભને નહિ, પણ લાંબી વિચારણા પછીના સાચા પરિણામનો વિચાર કરી કાર્ય કરે છે. એ આજની ખાતર, આવતી કાલને નહિ બગાડે. આજે માણસ શ્રમ કરે તો કાલે એને ફળ મળે. એ આવતી કાલ માટે, આજે જરાક સહન પણ કરવું પડે તોય પ્રેમથી સહન કરે. સહન કર્યા વગર કાંઈ મળે નહિ . આજે સહન કરી, આત્માના હિત ખાતર કાલને સુધારે તેનું નામ દીર્ઘદર્શી. : હવે સોળમો સદ્ગુણ જોઈએ એ ‘વિશેષજ્ઞ’. વિશેષજ્ઞ માણસ, એની સામે જે વસ્તુ આવે તેના ગુણ અને દોષ તારવી શકે છે. આ કામ મુશ્કેલ છે કારણ આપણે તો કોઈની એકાદ વાત ન ગમે તો તે આખી વ્યક્તિને જ ફેંકી દઈએ છીએ. વિશેષજ્ઞ કદી સમગ્ર વ્યક્તિનો વિરોધ ન કરે. એ તો વિચારે કે એના એકાદ દુર્ગુણ સંગે બીજા ઘણા સદ્ગુણો એનામાં છે. ધર્મરત્નનાં અજવાળાં ૧૬૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy