SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International >&>4)&8* 33. સથા બા રમા પગથિયા ઉપર ચડેલ માણસ ગુણાનુરાગી હોય છે. આવો માણસ તેરમા ગુણમાં પ્રવેશ કરી શકે છે. એ ગુણીનો ભક્ત બને છે; એના ચરણમાં બેસે છે. આવો માણસ પછી સહજ ભાવે જ સક્થા કરે છે. સત્કથા એટેલે સારી કથા કહેનારો. તેના મોંમાંથી સ્ત્રીકથા, દેશકથા, રાજકથા, ભક્તકથા (ભોજનની કથા) ન આવે, પણ સારી કથા જ આવે. આજે બધે દેશકથા અને પ્રાંતકથા વધી રહી છે. ભ્રાતૃભાવના દોરાથી બંધાયેલી આપણી માનવજાત, આજે પ્રાંતવાદના ટુકડાથી વહેંચાઈ ગઈ છે. ગુજરાત ને મહારાષ્ટ્ર આજે વહેંચાયા છે, એટલું જ નહિ પણ પ્રાન્તે પ્રાન્તે ભાગલાની કથા છે. લોકો માત્ર પોતાનું જ હિત જોતા થયા છે. એમાંથી દષ્ટિભેદ, વિચારભેદ, મતભેદ અને મનભેદ શરૂ થયા છે. દેશકથા અને પ્રાન્તકથાની જેમ આજે સ્ત્રીકથા પણ વધી ગઈ છે. એ કથામાં માણસને બીજું ભાન જ નથી રહેતું. ૧૪૪ : ધર્મરત્નનાં અજવાળાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy