SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨. ક્રોધ ટો ધના કડવા પરિણામને જાણ્યા વિના ઘણા અલ્પજ્ઞ આત્માઓ, માત્ર માન-પાન મેળવવા માટે અંતરમાં ક્રોધ ગોપવીને બાહ્ય સમતાનો આંચળો ઓઢે છે; પણ અવસરે તે ગોપવેલો ક્રોધ પોતાની વિકૃતિ બતાવ્યા વિના રહેતો નથી. ક્રોધને છુપાવો નહિ, એનાં કારણ સમજો. આપણી અપેક્ષાઓ જ ક્રોધનું મૂળ છે. ૩૨૩. વિજય-માર્ગ 6 પદેશકના આચરણના ઊંડાણમાંથી જન્મેલ વચન જ હૃદયને સ્પર્શી જ જાય છે. શ્રોતાના હૃદયના ઊંડાણમાં સૂક્ષ્મ પણ આત્મવિકાસની ઝંખનાનું બીજ હોય તો સમય જતાં તે શ્રોતા-વક્તાના મિલનથી કલ્પવૃક્ષ બની જાય છે. ૩૨૪. આરસી S, ગરિકો નૈતિક રીતે નિર્બળ અને અપ્રમાણિક હોય ત્યારે સરકારે જ "અનૈતિક-પ્રમાણિક બનવું જોઈએ એમ એકપક્ષી કહેવું અર્ધ સત્ય છે. માનવીનું મુખ કદરૂપું હોય ત્યારે અરીસાના પ્રતિબિમ્બ જ સુંદર બનવું જોઈએ એના જેવી આ વાત છે. ૩૨૫. હક્ક નહિ, યોગ્યતા સ્વાશે. જેમાં તંત્ર્ય એ જન્મસિદ્ધ હક્ક નથી, પણ યોગ્યતાથી પ્રાપ્ત થયેલો - સાધુ અધિકાર છે. સ્વાતંત્ર્ય એ જો જન્મસિદ્ધ હક્ક હોય તો બાળકને મતસ્વાતંત્ર્ય, વ્યભિચારીને આચાર-સ્વાતંત્ર્ય, મૂર્ખને વિચાર-સ્વાતંત્ર્ય, કજિયાખોરને વાણી-સ્વાતંત્ર્ય અને જન્માંધને પરિભ્રમણ-સ્વાતંત્ર્ય મળવું જોઈએ અને એ મળે તો તેનું કેવું ભયંકર પરિણામ આવે ? એટલે જ જીવન-દ્રષ્ટાઓ કહે છે : હક્ક નહિ, પણ યોગ્યતા વિકસાવો. ૮૨ * મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy