SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તકની રાહ જોઈને બેસી રહેતા કેટલાય નિષ્ક્રિય માણસો કાંઈ પણ સર્જન કર્યા વિના, જગતમાંથી રડતા રડતા ચાલ્યા ગયા. પુરુષાર્થી તો તે છે, કે જે જીવનની દરેક પળને મહામૂલી સમજી – અપૂર્વ તક સમજી – કાર્ય કર્યે જ જાય છે. એવા જ માણસો મરણને હસતા હસતા ભેટે છે. ર૯૭. સંકલ્પ આત્મદેવ ! આજના મંગળ પ્રભાતે, હું ઇચ્છું કે : કોઈનાય સૌંદર્ય પર કુદૃષ્ટિ કરવાનો પ્રસંગ આવે તો હું અંધ હોઉં, કોઈની નિંદા સાંભળવાનો સમય આવે તો હું બહેરો હોઉં, કોઈના અવગુણ ગાવાનો સમય આવે તો હું મૂંગો હોઉં, કોઈનું દ્રવ્ય હરવાની વેળા આવે તો હું હસ્તહીન હોઉં. ૨૯૮. ભેદ જ્ઞાન છે ત્મા અને પરમાત્મા વચ્ચે સ્વરૂપની દૃષ્ટિએ કશો ભેદ નથી. જેમ ' ખાણનું સોનું અને બજારનું સોનું, સોના રૂપે તો એક જ હોય છે. તફાવત એટલો જ કે બજારનું સોનું શુદ્ધ હોય છે અને ખાણનું સોનું અશુદ્ધ હોય છે. પરમાત્મા કર્મથી અલિપ્ત છે અને આપણે કર્મથી લિપ્ત છીએ. પરમાત્માની આજ્ઞારૂપ અગ્નિમાં આપણી જાતને શુદ્ધ કરીએ અને કર્મમળથી મુક્ત થઈ આત્માપરમાત્માનો ભેદ મિટાવી પરમાત્માનો પરમ આનંદ માણીએ. ૨૯૯. પુરુષાર્થ તકાળના પુરુષાર્થમાંથી વર્તમાનકાળનું પ્રારબ્ધ સર્જાય છે, તેમ કે વર્તમાનકાળના પુરુષાર્થમાંથી ભવિષ્યકાળનું પ્રારબ્ધ સર્જાશે, માટે જીવનવિકાસના સાધકે પ્રારબ્ધની નબળી વાતો છોડી, આત્મવિશ્વાસપૂર્વક સચ્ચાઈથી વર્તમાનના સર્જનમાં અવિશ્રાન્તપણે લાગી જવું જોઈએ. ૭૬ - મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy