SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨. પ્રેમપૂર્ણ સહિષ્ણુતા કે ને ટીકાથી કદી સંસાર ચાલતો નથી. સંસારને મીઠો અને સુંદર બનાવવો હોય તો જીવનમાં પ્રેમ-પૂર્ણ સહિષ્ણુતાનું સ્વાગત કરીએ ! ૨૯૩. સંતોષ Sા પ્રાટ અકબર જે વિલાસનાં સાધનો મેળવી શક્યો, એનાથી અનેકગણાં જ વિલાસનાં સાધનો આજના વિજ્ઞાન યુગનો એક સાધારણ નાગરિક મેળવી શકે છે; પણ સુખ અને શાન્તિ કોઈ યુગમાં કે માત્ર સાધનોમાં જ નહિ, પણ માણસની સમજ અને સંતોષમાં છે. ૨૯૪. પરિગ્રહ-પરિમાણ ણે જીવનમાં પરિગ્રહ-પરિમાણ વ્રત અપનાવ્યું છે, તેને જ જીવનમાં 0 સુખ ને શાંતિ વસે છે. પરિગ્રહ પરિમાણ એટલે જરૂરિયાત અને સંગ્રહવૃત્તિની મર્યાદા ! આવી મર્યાદા બાંધનાર પોતાનું જીવન સુખી કરે છે અને એના સમાગમમાં આવનાર અન્યને પણ એના તરફથી અસુખ થતું નથી. ૨૫. ધર્મ-શિખર ર્મના શિખરે પહોંચવા અહિંસા, સંયમ, તપ અને સેવાનાં પગથિયે ચડતાં શીખવું પડશે, ત્યારે જ ધર્મના શિખર પહોંચી શકાશે. ૨૯૬. તક | મારા દિલમાં સચ્ચાઈ હોય અને કાર્યમાં આત્મવિશ્વાસ હોય તો તકની વાટ જોઈને નિષ્ક્રિય બેસી રહેશો નહિ; તક આવવાની નથી પણ તમારે ઊભી કરવાની છે. તમારા મનમાં પ્રમાણિકતા હશે તો નબળી તક પણ બળવાન બની જશે. જીવનસૌરભ * ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy