SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭. પથિક છે, ! માનવ અમ જાળીને પ્રવાસ ખેડનાર પથિક કંટક અને તાપ આવતાં નિરાશ થઈ થંભી જાય છે; માટે માર્ગ વિકટ ને તાપથી છવાયેલો છે, એમ જાણીને હિમ્મતપૂર્વક પ્રવાસ ખેડીશ, તો હર્યો-ભર્યો માર્ગ આવતાં શાન્તિ ને વિશ્રામ, ઉત્સાહ ને આનંદ મળશે ! ܀ ૨૪૮. સંયમની પૂજારણ દે વમાં સંયમની ઊજળી ભાવનાને પ્રતિષ્ઠિત કરીને જ નારી દેવને પૂજે છે. નારીની આરતીમાં અખંડ શિખાએ જલતી જ્યોત એ સંયમનું જ પ્રતીક છે, એટલે નારી ખરી રીતે દેવની આરતી નથી ઉતારતી પણ સંયમની જ આરતી ઉતારે છે. સંયમના ચરણોમાં શ્રદ્ધાથી નમન કરતી નારીને દેવની પૂજારણ કહેવા કરતાં સંયમની પૂજારણ કહેવામાં નારીનું ઔચિત્ય અને ગૌરવ બન્ને જળવાય છે. ૨૪૯. મનની ગતિ થેળીથી ચન્દ્રલોકને સ્પર્શ કરનાર અને પગની એડીથી સાગરના તળિયાને ખૂંદનાર મા.વી કદાચ વિશ્વનાં સર્વ તત્ત્વોને સમજી શકશે, પણ એ નહિ સમજી શકે માત્ર એક પોતાના મનને ! મન તો સમજાશે ધ્યાનથી અને સમ્યગ્ જ્ઞાનથી. Jain Education International ૨૫૦. સંગનો રંગ ટરનું અપવિત્ર જળ ગંગાના પ્રવાહમાં ભળે તો એ ગંગાજળ કહેવાય; ૭] જ્યારે ગંગાનું પવિત્ર જળ પણ ગટરમાં ભળે તો એ ગટરનું ગંદું પાણી કહેવાય, તેમ દુર્જન, સજ્જનોમાં ભળે તો એ દુર્જન પણ ધીમે ધીમે સજ્જનમાં ખપે અને સજ્જન, દુર્જન સાથે વસે તો એ સજ્જન પણ દુર્જન કહેવાય ! સંગનો રંગ તો જુઓ ! ૬૪ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy