SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬. અણુ સ્તુ નાની છે એટલે એની કિંમત તમારે મન કાંઈ જ નથી ? પણ એક વ નજ૨ તો અહીં નાખો ! આ નાનકડા આગના તણખાએ આખા ગામને રાખની ઢગલીમાં ફેરવી નાંખ્યું. આ નાનકડા મચ્છરે પેલા મહાકાય કુંજરને મીણ કરી દીધો. આ નાનકડા છિદ્રે મહાનૌકાને સાગરમાં જળસમાધિ લેવરાવી. આ નાનકડા બીજે વડ બની આ દીવાલને પણ ચીરી નાંખી. આ નાનાશા અણુઓના બૉમ્બે જગત આખાને ધ્રુજાવી દીધું. છતાં ના વસ્તુનું મૂલ્ય તમારે મન કાંઈ જ નથી ? તો પછી તમને હવે અરૂપી એવો આત્મા પણ સમજાઈ રહ્યો ! ૨૩૭. સમર્પણનો જય નહિ, પણ મૌન-ભાવે કર્તવ્યો ગત, માનપત્ર લેનારાઓ ઉપર કરાર ઉપર ચાલે છે. તેઓનાં મૂક બલિદાનો ઉપર જ જગત ટકી રહ્યું છે. મકાન ચૂનાના વ્હાઇટવૉશ ઉપર નહિ, પાયાના પથ્થર અને ઈંટોના આધારે ટકે છે. ૨૩૮. માનવતા નવતા આ રહી. પેલો પોતાના એકના એક રોટલાના ટુકડામાંથી ભૂખ્યા મને પડોશીને અર્ધો ભાગ ખાપી, શેષ સંતોષથી ખાઈ રહ્યો છે ને ? માનવતા એના હૈયામાં સંતોષથી પોઢી છે. દાનવતા ? એ પણ આ રહી. પેલો બંને હાથમાં બે રોટલા હોવા છતાં પેલા ગરીબના રોટલા ઉપર તરાપ મારવા તીરછી આંખ જોઈ રહ્યો છે ને ? દાનવતા એની આંખમાં તાંડવ-નૃત્ય કરી રહી છે ! કારણ વિના કાર્ય ! માણસને ધર્મથી મળતું સુખ જોઈએ છે પણ ધર્મ આચરવો નથી. અધર્મથી મળતું દુ:ખ જોઈતું નથી પણ અધર્મને છોડવો નથા આ સંયોગોમાં સુખ કેમ મળે અને દુ:ખ કેમ ટળે ? કાંટા પાથરીને ગુલાબની લહેજત લેવી છે ! Jain Education International જીવનસૌરભ ૬૧ For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy