SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫. મૂર્તિ નિ ચકર જ્ઞાનથાઅનેના નવા નિર્મિકા વનને નકાકા નશિયાળ સાર છે ત્યાં સુધી સાકાર મૂર્તિની આવશ્યકતા જ નહિ, પણ અત્યાવશ્યકતા છે. ૧૭૬. ગુરુ-વૈધ રીરના રોગને મટાડવા તું વૈદ્યનો આશ્રય લે છે, તેમ આત્માના રોગને મટાડવા જ્ઞાનીનો આશ્રય લે. વૈઘના વચન પર વિશ્વાસ રાખી તું જેમ પથ્ય પાળે છે, તેમ ઉત્તમ ગુરુના વચન પર શ્રદ્ધા રાખી સદાચારમય જીવન બનાવ. વૈદ્યના ઉપચારથી જેમ શારીરિક શાન્તિ મળે છે, તેમ ગુરુના વચનથી તને આત્મિક શાન્તિ મળશે. શારીરિક શાન્તિ જેટલી જ આત્મિક શાન્તિ મહત્ત્વની છે. આધ્યાત્મિક શાન્તિ વિના શારીરિક શાન્તિ ક્ષણભંગુર છે. ૧૭૭. વ્યવહાર જડતા વિત્ર પ્રેમના અમૃત સરોવરને અવિશ્વાસના માત્ર એક વિષબિન્દુથી વિષસરોવર બનાવનાર ઓ વ્યવહારકુશળ ! તું જરા ઊભો રહે, વિચાર કર કે વ્યવહારકુશળ બનવા માટે, તેં તારા આ પુષ્પ જેવા કોમળ હૈયાને કાળમીંઢ પથ્થર જેવું કઠણ બનાવી, પ્રેમમાં જ નહિ, પણ તું તારામાં પા આત્મશ્રદ્ધા તો ખોઈ નથી બેઠો ને ? ૧૭૮. આત્મ-સુધારણા ણસનું મન પારકાના નાના દોષો પણ ગણ્યા કરે પણ પોતાનો તો આ મોટો દોષ પણ ન જુએ, પણ આપણે આપણું માનસ બદલી શકીએ કે જેથી આપણને પ્રેરણાદાયક વિચાર આવે : ‘મારા દોષ બતાવનાર, મારો ઉપકારી છે. એણે મારા દોષો ન બતાવ્યા હોત તો હું મારી ભૂલનો સુધારો કેમ ક૨ત ?’ લોકમાનસને કદાચ આપણે ન સુધારી શકીએ, પણ આપણે આપણું માનસ સુધારવા તો સ્વતંત્ર છીએ ને ? Jain Education International જીવનસૌરભ * ૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy