SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭. મહેચ્છા જો કોઈ શુભ ભાવનાઓનું બીજ બની શકું તો સંસારના ક્યારામાં રોપાઈ જાઉં અને એક મહાવૃક્ષ બની, સંસારયાત્રીઓને સદ્ભાવનાનાં મીઠાં ફળ આપું ! ૧૬૮. અફ્સોસ ‘આ કોઈ રોકતું હોય તો, આ દરિદ્ર શબ્દનું ઉચ્ચારણ જ છે. અફસોસના ઊંડા ખાડામાં અટવાયેલો માનવ ઉન્નતિના મહાન શિખરને કદી પામી શકતો નથી. જિંદગી માટે અફસોસ કરવો એ તો મરેલા પાછળ છાતી કૂટવા જેવું વ્યર્થ છે. હકીકતમાં તો જિંદગીમાં આવતી વિપત્તિઓની વાદળીઓ પાછળ જ સફળતાના સુખનો પ્રકાશ છુપાએલો છે ! ܀ ૧૬૯. આત્મસૌંદર્ય આ વન, એ આપણા કર્તવ્યનો પડઘો છે. જીવનના રંગો તો ફરતા છે. આ દુનિયામાં શાશ્વત શું છે ? રંગ, રૂપ, ખુમારી, બળ, ઐશ્વર્ય બધુંય બદલાય છે. જીવનનાં રૂપ અને સૌંદર્ય સંધ્યાના રંગ જેવાં ક્ષણજીવી છે. ખરું સૌંદર્ય તો આત્માનું છે. સૌંદર્ય વસ્તુગત નહિ પણ ભાવનાગત છે. ભાવના ભવ્ય હોય તો જ આત્માનું ચિદાનંદમય સ્વરૂપ સમજાય છે. આવું સ્વરૂપ જેને સમજાય છે, તેને જગતની બીજી કોઈ પણ વસ્તુ આકર્ષી શકતી નથી. એને આત્માના રૂપ અને પરમાત્માના સૌંદર્યની મસ્તીમાં, કાંઈક અનોખી જ અનુભૂતિ થતી હોય છે. Jain Education International ૧૭૦. જીવન-જનની વન એ અંધકાર નથી, પણ પ્રકાશ છે. એની જનની વેરની અમાવાસ્યા નહિ, પણ પ્રેમની પૂર્ણિમા છે ! - જીવનસૌરભ ૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy