SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ “માનવી ! તું પ્રમાદી છો, અમે ઉદ્યમી છીએ. તું અનેક દેવમાં આસક્ત છે, અમે એક માત્ર સાગરમાં જ આસક્ત છીએ. તારું ધ્યેય અનિશ્ચિત છે, અમારું ધ્યેય નિશ્ચિત છે. તું વ્યક્તિમાં રાચે છે, અમે સમષ્ટિમાં રાચીએ છીએ. તું બીજાના નાના દોષને મોટા કરે છે, અમે બીજાના દોષને પણ ધોઈને સ્વચ્છ ફરીએ છીએ. તારા સમાગમમાં આવનાર ઉજ્જ્વળ પણ મલિન બને છે. અમારા સમાગમમાં આવનાર મલિન પણ ઉજ્વળ બને છે ! તારા ને અમારા આચાર, વિચાર કે ઉચ્ચારમાં મેળ ખાય તેમ નથી. એટલે અમે ઝડપભેર સાગર ભણી જઈ રહ્યાં છીએ !” ܐ ૧૨૭. સત્ય સો નું કોને નથી ગમતું ? સૌ એને ચાહે છે. પણ અગ્નિમાં તપેલી સોનાની લાલચોળ લગડીને હાથમાં ઝાલવા કોઈ જ તૈયાર નથી, તેમ સત્ય પણ સૌને ગમે છે, પણ એને કટુતાના પાત્રમાં પીરસશો તો એને કોઈ નહિ ઝીલે. તમારે જો સત્ય પીરસવું હોય તો પ્રિયતાના પાત્રમાં પીરસો ને ! એથી સત્યનો સ્વીકાર સ્નેહથી થશે. + ૧૨૮. વાચાની મર્યાદા મિ ત્રો ! બોલતાં આવડે તો જરૂર બોલજો. તમારી પાસે જગતને આપવા માટે નૂતન સંદેશ છે. એમ તમારા આત્માને લાગે તો જરૂર બોલજો. પણ તમારા બોલવાથી માત્ર જગતમાં શત્રુઓ જ ઊભા થવાના હોય, તો બોલતા હો તોપણ ન બોલશો. આમ મૂંગા રહેવાથી કદાચ તમારા હાથે માનવજાતનું હિત નહિ થાય, તો પણ અહિત તો નહિ જ થાય. Jain Education International ૧૨૯. પ્રભુના દ્વારે ધ્યા નનો પ્રકાશ માણસને સાચા માર્ગે દોરે છે. પૂજા કરવી હોય તો હિંસા કરીને લાવેલાં દ્રવ્યો કરતાં આ જે છે તેનો ઉપયોગ ન કરીએ ! મૈત્રીભાવની સુવાસથી મનને મહેકતું કરીને સત્યના ઉચ્ચારથી વચનને જીવનસૌરભ * ૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy