SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પણ અંધકારમાં તેમ નથી. અંધકારમાં વિશ્વની નાની મોટી સર્વ વસ્તુ વિલીન થઈ જાય છે – બહાર અંધકાર હોય ને અંતરમાં પ્રકાશ હોય, ત્યારે માત્ર મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ દેખાતું હોય છે. અંધકારમાં એ અનોખા આકારને ધારણ કરી, મૈત્રી અને પ્રેમના મૂર્તસ્વરૂપે નયન સન્મુખ ખડો થાય છે ! એનું મૌન બોલે છે “જો, તારી ને મારી વચ્ચે વાસનાનો પડદો છે. સબળ પુરુષાર્થ કરી, રાગદ્વેષના એ પડદાને દૂર કરે અને પછી તો, તું તે હું છું ને હું તે તું છો – જ્યોતિથી જ્યોતિ મળી.” ૧૨૫. કાર્ય-કારણ મહાવનમાં થઈ હું ચાલ્યો જતો હતો, મારી નજર વૃક્ષનાં મૂળિયાંઓની મહાસભા પર ગઈ. હસતાં મૂળિયાંઓને મેં પૂછ્યું : “હસો છો કેમ ?” એક અતિ વૃદ્ધ મૂળિયું બોલી ઊઠ્યું : “ભાઈ ! આજે અમે માનવજાતના અજ્ઞાન પર હસીએ છીએ. જો, અમે જમીનનાં દટાયાં, ધૂળમાં રોળાયાં, અંધકારમાં પુરાયાં અને વૃક્ષને ખુલ્લી હવા અને પ્રકાશમાં મોકલ્યાં. જ્યારે એ વૃક્ષ પર ફળો આવે છે, ત્યારે સમજદાર કહેવાતી માનવજાત એ વૃક્ષ અને ફળોને વખાણે છે અને ધન્યવાદ આપે છે. પણ એના મૂળને તો સાવ જ ભૂલી જાય છે. અરે ! અમને સદા અનામી જ રાખે છે. જુઓ તો ખરા, આ ડાહ્યા માણસોની ગાંડી બુદ્ધિ ! – જે કાર્યને જુએ છે પણ કારણને તો સંભારતી પણ નથી. એ ભૂલી જાય છે કે વાવ્યું તે જ ઊગે છે. ૧૨૬. સરિતાનાં નીર ક્લતીર્થના તટ પર સૂર્ય, પોતાનાં કોમળ કિરણો ચારે તરફ પાથરવાની જ શરૂઆત કરી હતી. નર્મદાનાં નીર ત્વરિત ગતિએ ચાલ્યાં જતાં હતાં. જતાં જતાં એ પોતાના હૈયાની એક ગુપ્ત વાત કહેતાં ગયાં. - ૩૪ - મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy