SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આ ખંડિયેરમાં જે વીર-ગાથા છે, આ પથ્થરોમાં જે સૌંદર્ય છુપાયેલું છે, અહીંની ધૂળના રજકણમાં જે ખમીર ઝળહળી રહ્યું છે, અહીંની દીવાલોમાં ભૂતકાળનો જે ગૌરવભર્યો ઇતિહાસ લખાયેલો છે અને અહીંના વાતાવરણમાં જે સર્જન અને વિસર્જનનો ઇતિહાસ ભર્યો છે, જે માણસની શક્તિ અને નિર્બળતા બંનેનું દર્શન કરાવે છે, તે આજે પણ આપણે અનુભવી શકીએ છીએ, હા, તેનું સંવેદન અનુભવવા માટે સહૃદયતાભરી દૃષ્ટિની આવશ્યકતા તો ખરી જ ! જેનો સાત્વિક માનસ-દીપક બુઝાઈ ગયો છે, તેને તો અહીં પણ કેવળ અંધકાર જ નજરે પડશે! અને એ અંધકારમાં કેવળ ભૂતના ઓળા જ દેખાશે! ૧૨૦. આંસુનાં મોતી પ્રસિદ્ધ પ્રવચનકારનાં નીતિનાં અનેક પ્રવચનો મેં સાંભળ્યાં, પણ મારા પર એના ઉપદેશની અસર જરા પણ ન થઈ. એટલે દુ:ખનાં આંસુ આવ્યાં. ખરતાં આંસુ બોલી ઊઠ્યાં : “અરે ! રડે છે શા માટે ? રડવાની જરૂર તો તારે કે પેલા પ્રવચનકારને ? જો પેલા અનીતિના ધનથી બનેલા ઉચ્ચ આસન પર બેસી, એ ત્યાગ અને નીતિનો ઉપદેશ આપે છે ! ઉપદેશ, અનેકાન્તવાદનો દે છે અને ઝનૂન સાંપ્રદાયિકતાનું ચઢાવે છે. લોકો આગળ અહંકારના દુર્ગુણ ગાય અને પોતાના અહંકારનું પ્રદર્શન પોતાના ફોટા અને નામની તખતીઓ દ્વારા ગરીબોના ભોગે કરાવે જ જાય છે. કલહની આગ પ્રગટાવી, હવે એ સંપ ને મૈત્રીની શીતળ હવા માંગે છે.” દંભનો પડદો ઊંચકાતાં જ આંસુ મોતી બન્યાં. ૧૨૧. દુઃખનો પ્રકાશ જ સુધી હું એમ માનતો હતો કે દુઃખ માણસને સામર્થહીન બનાવે છે, કર્તવ્યભ્રષ્ટ બનાવે છે, દીન અને અનાથ બનાવે છે; પણ આજના આ પ્રસંગે મારી દૃષ્ટિ બદલી છે. હવે સમજાય છે કે દુ:ખનાં કારણ સમજવાને બદલે, દુ:ખનાં રોદણાં રોવાથી જ એ ઝેરી ડંખ બને છે અને એ ડંખ મનને અસ્વસ્થ કરે છે. આ ૩૨ - મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy