SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અમારે જાણે વેદનાનો વિનિમય થયો હતો : કાંટા ફૂલને વાગ્યા, લોહી મને નીકળ્યું. તડકો એના ઉપર વરસ્યો, તાપ મને લાગ્યો ! ૧૧૭. સર્જક ક એ વશિલ્પીએ પોતાની શક્તિઓને કેન્દ્રિનત કરી એના સર્જન પોતાના અને પ્રશંસકો ખોયા. વિલાસ અને વૈભવ ખોયો. ઊંઘ અને કીર્તિ ખોઈ. સ્વપ્ન સિદ્ધ થયું. ત્યાં એના જીવનદીપકમાં તેલ ખૂટ્યું : લોકોને લાગ્યું. હાય, બિચારો શિલ્પી સર્જેલી સૃષ્ટિનું સુખ માણવા વધારે ન જીવ્યો ! ત્યારે આંખ ઢાળતાં કલાકારે કહ્યું : જીવન શા માટે છે ? સદ્ભાવને આકાર આપવા માટે. મારી કલા દ્વારા મેં સત્ય, શિવ અને સૌંદર્યના પ્રકાશની અનુભૂતિ કરી છે. મારું ધ્યેય પૂર્ણ થયું છે. હું સંપૂર્ણ જીવન જીવ્યો છું. ܀ ૧૧૮. જીવન-રહસ્ય ત્મ આનંદ માટે સર્જેલી ભાવનાની દુનિયાને, હું વાસ્તવિકતામાં લાવવાનો મિથ્યા પ્રયત્ન કદી નથી કરતો, કારણ કે ભાવને વાસ્તવિક બનાવવા જતાં એની ઊર્ધ્વગામી પાંખ તૂટી જાય છે. આ તેવી જ રીતે વાસ્તવિકતાને હું કલ્પનાની દુનિયામાં નથી લઈ જતો, કારણ કે એથી વાસ્તવિકતા નક્કર મટી પોલી બની જાય છે. એટલે કલ્પના અને વાસ્તવિકતા એ બન્ને દુનિયા મારે મન જીવનપૂરક છે. કલ્પનાને આકાશ છે અને વાસ્તવિકતાને ધરતી છે. આ બંને મારા આત્મપંખીની બે પાંખો છે : એક કલ્પનાની અને બીજી વાસ્તવિકતાની. કલ્પના દ્વારા હું અફાટ આકાશમાં ઊડી શકું છું ને વાસ્તવિકતા દ્વારા પુનિત વસુંધરા પર ચાલી શકું છું. આ જ મારા જીવનનું બળ છે. ૧૧૯. ખંડિયેર આને માત્ર પડી ગયેલાં મકાન અને નષ્ટ થયેલી હવેલી કહે છે, પણ હું તો આને આપણા પૂર્વજોનો ભવ્ય ઇતિહાસ માનું છું. Jain Education International જીવનસૌરભ ૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy