SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે મનપ્રધાન હોય છે ત્યારે માનવતા પ્રગટે છે, જ્યારે આત્મસામ્રાજ્યમાં વિહરે છે ત્યારે એનામાં દિવ્યતા પ્રગટે છે. માનવીમાં આ ત્રણે તત્ત્વો પડેલાં છે. ܀ ૧૦૬. ઈન્દ્રિયોને ઊંઘાડો તમારી જે ઇન્દ્રિયો છે, જે બળવાન ઇન્દ્રિયો છે, જે મુક્ત ઇન્દ્રિયો છે, તેને ઊંઘાડી દો; જો તમે આમ એને ઊંઘાડી દેવાનું રાખશો, જો એ સંયમિત થશે, તો તમે જોઈ શકશો કે તમારો આત્મા પછી મુક્તિ અનુભવશે, પ્રફુલ્લતા અનુભવશે. ૧૦૭, પંથ જીવનને અંધકારથી ઠાંસી દેતી નિરાશા તારી આસપાસ છવાઈ ગઈ છે ? જીવન કટુ અને ભારરૂપ લાગે છે ? પણ એ વાત કદી ન ભૂલીશ કે પતનના પાયામાં પણ ઉત્થાન છે. પરાજયમાંથી જયનું બળ પ્રગટે છે અને આપણી નબળાઈઓ, ૨ાને ત્રુટિઓ, આ પ્રસંગ દ્વારા દૂર થાય છે; માણસ ફરીથી ઊભો થઈને હિંમતભેર આગળ વધે છે. હિંમત ન હારીશ; ધૈર્ય રાખજે. જીવન શું આપવા માંગે છે, તે આપણે જાણતા નથી. એનો રહસ્યભંડાર કોઈ અદ્ભુત છે. આ કાંઈ ક્ષણિક પ્રકાશનો ચમકાર નથી, પણ અંધકારમાંથી પ્રગટતા સૂર્યની એક યાતનામય યાત્રા છે, તો આ જ માર્ગમાં હાર્યા વિના આગળ વધજે. Jain Education International ܐ ૧૦૮. જીવનના સંધ્યાટાણે ઓ ચિત્રકાર, જોનારના દિલનેય રંગ લાગી જાય એવા નાજુક રંગોથી તે વિશ્વને આલેખ્યું, પણ તારા દિલનું દીવાનખાનું તો શૂન્ય જેવું લાગે છે. હા, તારા હૃદયખંડને અલંકૃત કરવા તેં એક કાવ્યમય ચિત્ર રાખ્યું હતું ખરું. પણ આજ તો તેય ઝાંખું થવા આવ્યું છે. આ સંધ્યા નમે તે પહેલાં તારા પ્રાણમાં ઘૂંટાયેલા ભાવનાના રંગની એક પીંછી તું એના પર ન ફેરવી શકે ? જેથી રજનીમાં, સુવાસિત તેલના દીપકોના પ્રકાશમાં એ ફરી ઝળહળી ઊઠે ! ૨૪ × મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy