SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦. જીવનનું લક્ષ્ય પર્વતમાંથી નીકળતી નદીને, પોતાનું લક્ષ્ય નક્કી છે. આથી, વચ્ચેના ખડકો, પથ્થરો, જંગલ ઝાડીમાંથી રસ્તો કરી એ સાગર તરફ ધસતી રહે છે; ક્યાંય અટકતી નથી. ગમે ત્યાંથી માર્ગ કરી એ આગળ વધે છે. માનવીએ પણ એવા લક્ષ્ય માટે એ જ કરવાનું છે. ૧૦૧. વાસનાની કેદ કોઈક માણસ દીવાની પાછળ કેદી છે, તો કોઈક વાસનાની પાછળ કેદી છે. વિચાર કરતાં સમજાશે કે દીવાલની કેદ કરતાં વાસનાની કેદ વધુ જબ્બર કેદ છે. ૧૦૨. વૃત્તિનો સંયમ વૃત્તિઓ જ્યારે આપણા કાબૂમાં હોય છે ત્યારે આપણે મહાત્મા બનીએ છીએ; એ જ વૃત્તિઓ જ્યારે છુટ્ટી અને અનિયંત્રિત હોય છે ત્યારે આપણે પાપાત્મા બનીએ છીએ. ૧૦૩. પ્રેમનું બલિદાન પ્રેમ અને ક્ષમા કોઈ દિવસ કોઈનાં માથાં માગતાં નથી. એ તો સામેથી માથું આપવા તૈયાર થાય છે, અને તે પણ બીજાનું નહિ, પ્રથમ પોતાનું. ܀ ૧૦૪. અંતરનું અજવાળું દુનિયામાં એવો કોઈ માનવી નથી કે જેનું હૃદય પીગળે નહિ; એવી કોઈ રાત નથી કે જેમાં એક પણ તારો ન હોય. Jain Education International ܀ ૧૦૫. વિવિધ તત્ત્વો જ્યારે માનવી દેહપ્રધાન હોય છે ત્યારે એનામાં પાશવતા પ્રગટે છે, મધુસંચય - ૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy