SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ “પાપનું સર્જન દ્વન્દ્રમાંથી થાય છે. શરીરમાં આત્મા પ્રવેશે તો જ એમાં વેગ આવે. બંનેના સહકારે જ પાપ જન્મ. આત્મા વિનાનું શરીર જડ છે. જડના સંગ વગરનો આત્મા પરમાત્મા છે. શરીર અને આત્માનો સંગ એ જ તો સંસાર છે.” ૧૭૨. મૈત્રીનું માધુર્ય 2 ક શાળામાં બે વિદ્યાર્થીઓ સાથે ભણતા હતા. પુષ્પ અને પરિમલ જેવી એમની મૈત્રી હતી. આગળ જતાં બંનેના રાહ જુદા ફંટાયા; એક ચિન્તક બન્યો, બીજો પ્રધાન બન્યો. એ પછી વર્ષો વીત્યાં. બંને જુદી જુદી દિશામાં આગળ વધી રહ્યા હતા. એક દિવસ પ્રધાનની પત્ની ચિન્તકને મળવા આવી. એણે કહ્યું : “તમે તમારા મિત્રને હમણાં મળવા કેમ આવતાં નથી ?” ચિન્તકે સહાનુભૂતિ બતાવતાં કહ્યું : “હમણાં તો મારા મિત્રને મળવા ઘણાય આવે છે. હું એક ન મળે તોય ચાલે. હું તેને ત્યારે જ મળીશ જ્યારે એ ચૂંટણીમાં ઊડી ગયો હશે. ઝૂકીને સલામ ભરનારા એને ત્યાં ડોકાતાય નહિ હોય અને મારા એ મિત્રનું હૈયું નિરાશા અને વ્યથાથી ભારે થયેલું હશે. ત્યારે ઉત્સાહનું ઔષધ અને આશ્વાસનનો મલમપટ્ટો લઈ, એના ઘાને રૂઝવવા હાજર થઈશ.” મિત્રનો ધર્મ હાસ્યનો કોલાહલ વધારવામાં નથી, દુઃખનાં આંસુ લૂછવામાં છે ! ૬૭૩. ભાષાની ભવ્યતા છે. દ્ધરાજ જયસિંહના શૈશવની આ વાત છે. સિદ્ધરાજના પિતા કર્ણદેવ તો - એને ત્રણ વર્ષનો મૂકી ગુજરી ગયા હતા. અનુશાસન એની મા મીનળદેવી ચલાવતાં હતાં. સિદ્ધરાજ નાનો હતો પણ એની પ્રતિભાની ખ્યાતિ દૂર દૂર દિલ્હી સુધી પહોંચી હતી. દિલ્હીના સમ્રાટે મીનળદેવીને કહેવડાવ્યું : “તમારો પુત્ર મોટો થયો છે. એને દિલ્હીના દરબારમાં હાજરી આપવા મોકલો.” મીનળદેવીને ચિંતા થઈ. એણે એને ઘણીબધી શિખામણ આપવા માંડી ૩૫૬ ૪ મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy