SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૦. ઝાંઝવાને ચાહવું ? શ્રીમંત હોવા છતાં શ્રદ્ધાવાન દેખાતા હતા. સવારના બે કલાક તો પ્રભુભક્તિમાં જ કાઢતા. એક યુવાન આવ્યો. “શેઠ ! પૈસાની અનિવાર્ય આવશ્યકતા છે એટલે આ માલ મારે કાઢી નાખવો છે. આપ ન લો ?” શેઠ ગરમ થઈ ગયા : “જોતો નથી. હું કેટલો કાર્યમગ્ન છું ? જા, મહિના પછી આવજે.” “પણ શેઠ ! મારે પૈસાની આજે જ જરૂર છે. મારી મા માંદી છે.” “સાંભળતો નથી ? કામમાં છું, જા બહાર જા, નહિ તો ધક્કો.....” ત્યાં વચ્ચે જ એણે અરજ કરી : “એક પ્રશ્ન આપને પૂછું ? આપ ભગવાનને ચાહો છો ?” શેઠને આશ્ચર્ય થયું, “કેમ આમ પૂછે છે ? ભગવાનને ન ચાહું ?” “તમે ભગવાનને માનતા હોત તો એના જ જીવંત પ્રતીક સમા માનવને આમ ધુતકારી ધક્કો મારવા તમે તૈયાર ન થાત. જે દશ્યને જ ન માને તે અદશ્યને માને છે, તે કેમ મનાય ?” ભગ ૬૭૧. સંસાર શું છે ? નવના આત્મા અને શરીર વચ્ચે પાપ ઉપર મૌનમાં ચર્ચા વધી પડી. માં ચર્ચાએ ઉગ્ર રૂપ લીધું. શરીર આવેશમાં લાલચોળ થઈ ગયું. “હું તો માટીનો પિંડ છું, પંચભૂતનો સમૂહ માત્ર છું, મોહ ઉત્પન્ન કરનાર વસ્તુઓને હું સંવેદી પણ ન શકું. મારાથી પાપ થાય જ કેમ ?” આ સાંભળી આત્મા ચૂપ રહે તો એ ચેતન શાનો ? એણે પણ એવી જ યુક્તિથી ઉત્તર વાળ્યો : પાપ કરવાનું સાધન જ મારી પાસે ક્યાં છે ? અરે ઇંદ્રિયો જ ક્યાં છે ? ઇંદ્રિયો વિના પાપ થઈ શકે ખરાં ? ઇંદ્રિયો દ્વારા જ તો કામના તૃપ્ત થાય છે. હું અરૂપી પાપી હોઈ શકે જ કેમ ?” ઉગ્ર ચર્ચાને અંતે પ્રસરેલી નીરવ શાન્તિમાં દિવ્ય વાણી સંભળાઈ : ૩૦ દિવસની ૩૦ વાતો જે ૩૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy