SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ રામજીને ત્યાં મહેમાન આવ્યા. પિંજરામાં બાંધેલો પોપટ બોલી ઊઠ્યો : ‘મુક્તિ ! મુક્તિ ! મુક્તિ !' મહેમાન ઘરમાં પેઠા પણ ચેન ન પડે. ભૂતકાળ યાદ આવ્યો. એ પણ સળિયાઓની પાછળ હતા ત્યારે એમનાં પત્નીનું મૃત્યુ થયેલું. એ કડવા દિવસની વિષાદમય મુક્તિની ઝંખના બંદીવાન સિવાય કોણ સમજે ? રાત પડી, સહુ સૂઈ ગયા પણ આ મહેમાનની આંખ ન મળી. ધીરે પગલે પાંજ૨ા પાસે ગયા, બારણું ખોલ્યું પણ પોપટ તો પાછા પગલે પાંજરામાં લપાવા લાગ્યો. હાથ અંદર નાખ્યો, પોપટને પકડીને આકાશમાં ઉડાડી દીધો. હૈયું હળવું થયું. શાંતિથી સૂઈ ગયા. પોપટની મુક્તિથી શેઠ નાખુશ થશે એ બીકે મહેમાન વહેલી સવારે જવા તૈયાર થયા. પ્રાંગણમાં પગ મૂકતાં જ જોયું તો પોપટ પિંજરામાં ગોઠવાઈને શાન્તિથી બેઠો હતો. ‘મુક્તિ’ના જાપની ક્રિયા મધુર ધ્વનિથી હજુ એ કરે જ જતો હતો ! ૬૫૦. આચાર એ ક સાધુનું પ્રવચન સાંભળવા એક શેઠ ચારેક મહિનાથી દરરોજ જતા. : “મહારાજ બધાને થાઉં ?'' એણે શેઠને પમાય ?'' મુક્તિનો ઉપાય બતાવે છે તો હું પણ મુક્ત કેમ ન વિનવ્યા : “પેલા મસ્ત સાધુને પૂછજો કો મુક્તિ કેમ શેઠને નવાઈ લાગી. આવો વિચાર મનેય નથી આવતો તો પોપટને કેમ આવે છે ?' પ્રવચન પૂરું થયું એટલે શેઠે સાધુને પોપટનો પ્રશ્ન પૂછ્યો. મહારાજે પૂછ્યું : “આ પ્રશ્ન કોનો છે ? તમારો તો નથી જ લાગતો.’' શેઠે કહ્યું : “મહારાજ ! આ પ્રશ્ન મારા પોપટનો છે.'' આ સાંભળતાં જ મહારાજ જ્યાં હતા ત્યાં જ મૂર્છા ખાઈ ઢળી પડ્યા. શેઠ તો ગભરાઈ ગયા. પંખો નાંખ્યો. મહારાજ જરા ભાનમાં આવતાં શેઠ ચાલતા થયા. ઘેર ગયા તો પોપટ રાહ જ જોતો હતો. શેઠે કહ્યું : “તારો પ્રશ્ન અપશુકનિયાળ છે. પ્રશ્ન પૂછતાં જ સાધુ બેભાન થયા.'' બીજે દિવસે સવારે પોપટ તો પાંજરામાં મડદું થઈને પડ્યો છે. ન ખાધું, Jain Education International ૩૪૦ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy